ઋતિક રોશની 'સુપર30' બિહારમાં જન્મેલા આનંદ કુમારના જીવન પર આધારીત છે. જેમણે લગભગ 30 બાળકોને મફતમાં આઇઆઇટીની તૈયારી કરાવી હતી. આ ફિલ્મ દ્વારા આપણને ન માત્ર આનંદ કુમાર વિશે જાણવા મળ્યું, પરંતુ તેમના જીવનની ઘણી અજાણી વાતો પણ સાંભળવા મળી. પરંતુ હાલમાં જ ઇન્ટરવ્યૂમાં આનંદ કુમારના જીવનને લઇને મોટો ખુલાસો થયો છે.
એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો થયો છે કે પ્રખ્યાત ગણિતજ્ઞ આનંદકુમાર બ્રેન ટયૂમર જેવી ગંભીર બીમારીથી ઝુઝી રહ્યા છે. આ વાતની જાણકારી ખુદ આનંદકુમારે મીડિયા સાથેની વાતચીત દરમિયાન બતાવી હતી. આ ઉપરાંત એમણે બતાવ્યું કે, કેવી રીતે એ જિંદગી અને મોત વચ્ચે ઝુઝી રહ્યા છે.
પોતાના ઇન્ટરવ્યૂમાં આનંદ કુમારે બતાવ્યું કે એમને કેટલાક સમય પહેલા સાંભળવામાં ઘણી સમસ્યા થતી હતી. એના ચેકઅપ કરાવ્યા બાદ તેમને જાણવા મળ્યું કે તે પોતાની 80થી 90 ટકા સાંભળવાની યોગ્યતા ગૂમાવી ચૂક્યા છે. એમને તેના માટે ઇ એન ટી ટ્રીટમેન્ટથી પણ કોઇ ફરક પડ્યો નહોતો.
એ બાદ જ્યારે તે 2014માં દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં પોતાનો ઇલાજ કરાવી રહ્યા હતા તો ડોક્ટર્સે એમને બતાવ્યું કે તેમને બ્રેન ટ્યૂમર છે. વાતચીતમાં આનંદ કુમારે આગળ બતાવ્યું કે, 'દરેક ઓપરેશન બાદ તેમના પર ખતરો વધતો જઇ રહ્યો છે અને આ ટ્યૂમરની અસર તેમની અન્ય ઇન્દ્રિયો પર પણ થઇ શકે છે.
આ દરમિયાન આનંદ કુમારે ભાવુક થઇને આગળ કહ્યું કે 'મારા માટે સૌથી સારુ એ હશે કે હું જીવિત રહેતા જ મારી બાયોપિકમાં પોતાની યાત્રા જોઇ શકું.' આનંદ કુમારે મુજબ, તેમના 2014ની બેચના વિદ્યાર્થીઓ તેમની બીમારી વિશે સારી રીતે જાણતા હતા.
આપને જણાવીએ કે આનંદ કુમાર એક પ્રસિદ્ધ શિક્ષક છે જે આઇઆઇટી-જેઇઇ માટે વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ આપે છે. આનંદકુમારે એક શિક્ષકના રૂપે ઘણા લોકોના ભવિષ્યને બદલી નાંખ્યું. આટલું જ નહીં તેમણે 2010માં ટાઇમ મેગેઝિનમાં 'ધ બેસ્ટ ઓફ એશિયા' રૂપે સમ્માનિત કરવામાં આવ્યા હતા.