બિહારના સુપૌલ જિલ્લામાં એક પરિવારના 5 લોકોએ આત્મહત્યા કરી લીધી.
એક પરિવારના 5 લોકોએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી
ગત અઠવાડિયાના શનિવાર સુધી મિશ્રીલાલ પરિવારના લોકો જોવા મળ્યા હતા
બાપદાદાની જમીન પણ વેચી નાંખી હતી
એક પરિવારના 5 લોકોએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી
બિહારના સુપૌલ જિલ્લામાં આર્થિક તંગીથી હેરાન એક પરિવારના 5 લોકોએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જેમાં માતા-પિતા અને 3 બાળકો પણ છે. પોલીસને માહિતી મળતા ઘટના સ્થળે દોડી ગઈ હતી. તેમજ એફએસએલની ટીમને બોલાવવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યાનુંસાર એફએસએલની ટીમની તપાસ બાદ વિસ્તારની જાણકારી મળશે.
બાપદાદાની જમીન પણ વેચી નાંખી હતી
ગદ્દી ગામના મિશ્રીલાલ સાહના પરિવારના 5 સભ્યોએ એક સાથે આત્મહત્યા કરી લેતા આસપાસના લોકો આઘાતમાં છે. રાઘોપુરના ગદ્દી ગામના લોકોએ મૃતક મિશ્રીલાલ સાહ અને તેમના પરિવાર વિશે જણાવ્યું કે ગત 2 વર્ષથી આ પરિવાર કોલસો વેચીને ગુજરાન ચલાવતો હતો. આર્થિક ભીષણના કારણે મિશ્રીલાલ સાહએ પોતાના બાપદાદાની જમીન પણ વેચી નાંખી હતી. લોકોએ જણાવ્યું કે હાલમાં કેટલાક દિવસોથી આ પરિવાર ગ્રામીણથી અલગ અલગ રહેવા લાગ્યો હતો. આ કારણે લોકોએ તેમના સમાચાર પુછવાનું છોડી દીધું હતુ.
ગત અઠવાડિયાના શનિવાર સુધી મિશ્રીલાલ પરિવારના લોકો જોવા મળ્યા હતા
લોકોએ જણાવ્યું કે ગત અઠવાડિયાના શનિવાર સુધી મિશ્રીલાલ પરિવારના લોકો જોવા મળ્યા હતા. પરંતુ એ બાદ પરિવારના એક પણ સભ્ય ગામમાં જોવા મળ્યા નહોંતા. શુક્રવારે રાતે અચાનક 5 લોકોએ આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવ્યા હતા.
તપાસ બાદ જ મામલાની ગુંચ ઉકેલાશે
મામલાની તપાસ કરી રહેલા એસપી મનોજ કુમારે કહ્યું કે આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરાઈ રહી છે. એક જ પરિવારની સામૂહિક આત્મહત્યાની ઘટના અનેક સવાલો જન્માવી રહી છે. એટલા માટે એફએસએલની ટીમને પણ તપાસ કરવા કહ્યું છે. તપાસ બાદ જ મામલાની ગુંચ ઉકેલાશે.