કોરોનાને લઇ હાઇકોર્ટમાં થયેલી સુઓમુટો અરજીનો મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં નિયમોના પાલન મુદ્દે સરકારે રિપોર્ટ રજૂ કર્યો હતો.જેમાં મોટા મોટા ખુલાસાઓ થયા હતા.
કોરોના મુદ્દે HCમાં સુઓમોટો મામલો
સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યો રિપોર્ટ
માસ્ક ન પહેરનારા પાસેથી 116 કરોડ દંડ વસૂલ્યો
કોરોનાને લઇ હાઇકોર્ટમાં થયેલી સુઓમુટો અરજીનો મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં નિયમોના પાલન મુદ્દે સરકારે રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં કોરોના મામલે થયેલી અરેજીમાં સરકાર તરફથી જવાબ રજૂ કરતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ સોગંધનામું રજૂ કર્યું હતુ. જયંતિ રવિના સોગંદનામામાં મોટો ખુલાસો કર્યો હતો.
લોકજાગૃતિ માટે કાર્યક્રમોનું આયોજન કરાયું
જયંતિ રવિએ જણાવ્યું હતુ કે, કોરોના વાયરસને લગતી માહીતી સીમીત છે. એક વર્ષ જૂનો વાયરસ હોવાથી સીમીત માહિતી છે. હાલ તો સાવચેતીમાં જ સલામતી ના સૂત્રને અપનાવીને કામ કરવું પડશે. જેમાં નિયમો અંગે લોકજાગૃતિ માટે કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
માસ્ક નહી પહેરનાર લોકો પાસેથી 116 કરોડનો દંડ વસૂલાયો
તકેદારી ન રાખતા લોકોને આકરો દંડ કરાયો છે. માસ્ક નહી પહેરનાર લોકો પાસેથી 116 કરોડનો દંડ વસૂલાયો છે. 23,64,420 લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. સરકારી મેડીકલ કોલેજમાં ભણેલા ડોક્ટરને સેવાના હુકમ કરાયા થે અને 900 MBBS ડોક્ટરને ગ્રામીણ વિસ્તારમાં સેવા કરવા હુકમ કરવામાં આવ્યો છે. MBBSના ત્રીજા અને ચોથા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને કામગીરી સોંપાઇ છે.
4248 લોકોના કોરોનાથી મૃત્યુ થયુ
6597 વિદ્યાર્થીઓને સર્વેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી સોંપાઇ છે. રાજ્યમાં હાલ 11,397 એક્ટિવ કોવિડ હોસ્પિટલ છે. અત્યાર સુધીમાં 2,37,247 કુલ પોઝિટિવ કેસ નોંધાયા છે અને 64 દર્દીઓ હાલની સ્થિતિ પ્રમાણે વેન્ટિલેટર પર છે. 2,21,602 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધી 4248 લોકોના કોરોનાથી મૃત્યુ થયુ છે. રિકવરી રેટ 90 ટકાથી ઉપર નોંધાયો છે. ધન્વંતરી રાતથી રોજના 10 હજાર લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં 18 લાખ લોકોએ ધન્વંતરી રથનો લાભ લીધો છે.