એક તરફ ગરમી વધવાના કારણે ભેજની સ્થિતિ પણ જોવા મળી રહી છે ત્યારે લોકો વધુ પ્રમાણમાં બહાર નીકળી રહ્યા છે. જિયોગ્રાફિકલ એનાલિસીસમાં ઉલ્લેખ કરાયો છે કે તડકો નીકળતાં લોકો મોટી સંખ્યામાં બહાર નીકળવા લાગે છે અને સંક્રમણનો ખતરો વધી જાય છે. લાંબા સમય સુધી તડકો નીકળતાં મહામારી ફેલાવવાનો ખતરો વધી રહ્યો છે.
કોરોના વાયરસ થયો વધુ એક અભ્યાસ
વધુ ગરમી અને ભેજમાં વધી શકે છે સંક્રમણ
લાંબા સમય સુધી તડકાના કારણે કેસ વધી શકે
ગરમીમાં પણ વધશે કોરોના
હવે વધુ ગરમી અને ભેજમાં વધી શકે છે કોરોનાનું સંક્રમણ.
લોકો વધુ પ્રમાણમાં બહાર નીકળતા સંક્રમણનો ખતરો વધી શકે.
કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીના નેતૃત્વમાં થયું અધ્યયન.
હવામાન બદલાતા કોરોનાના સંક્રમણમાં શું અસર પડે છે તેના પર અભ્યાસ.
વિશ્વભરમાં હવે લોકડાઉન ખોલવામાં આવી રહ્યું છે.
ગરમીમાં 1 ટકાનો વધારો થતાં કોરોનાના કેસમાં 3 ટકાનો ઘટાડો થાય છે.
પણ ગરમી વધતા ઉંધી સ્થિતિ પણ જોવા મળી છેઃ સંશોધક
વધુ સમય સુરજ નીકળતા કોરોનાના વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
તડકો નીકળતાં જ લોકો લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરે છે.
લોકો મોટી સંખ્યામાં બહાર નીકળે છે જેથી સંક્રમણ વધી જાય છે.
હવામાનમાં આવતા ફેરફાર અને ખાસ કરીને ગરમીની સીઝનમાં કોરોનાની ગતિ વધે છે. શોધકર્તાઓનું કહેવું છે કે ઈન્ફ્લુએન્ઝા અને સાર્સ જેવા વિષાણુ ઓછા તાપમાન અને ગરમીમાં વિકાસ પામે છે. કોરોના ફેલાવનારા વાયરસ સાર્સ સીઓવી-2ને લઈને આ વિશે ઓછી જાણકારી છે.
મંદ અર્થવ્યવસ્થાને લીધે લોકો બહાર નીકળવા બન્યા છે મજબૂર
અનેક લોકો અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવા માટે મજબૂર બન્યા છે. ગરમીમાં આ કેટલું સુરક્ષિત છે તેને લઈને પણ પ્રશ્નો છે. આંશિક રીતે અવરજવર પર પ્રતિબંધ રાખ્યો છે અને સાથે જ સાર્સ સીઓવી-2 પર શું પ્રભાવ પડશે તે જોવું રહ્યું. મંદ અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવવા પાબંદીઓમાં રાહત આપવાનું શરૂ કરાયું છે.