IPLમાં કોરોનાની ફરી વાર એન્ટ્રી થઈ છે. મેચના એક દિવસ પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદનો બોલર ટી.નટરાજન પોઝિટીવ નીકળ્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદના બોલર ટી નટરાજન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે 6 સભ્યોને આઈસોલેશનમાં રખાયા છે. મેચની શરૂઆત પહેલાં યોજાનારી આરટી-પીસીઆર ટેસ્ટમાં તેનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. લાંબા અંતરાલ બાદ યુએઈમાં શરૂ થયેલી આઇપીએલમાં વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.
NEWS - Sunrisers Hyderabad player tests positive; six close contacts isolated.
આ 6 સભ્યોને આઈસોલેશનમાં રખાયા
જે સભ્યોને આઇસોલેટ કરવામાં આવ્યા છે તેમાં વિજય શંકર (પ્લેયર), વિજય કુમાર, (ટીમ મેનેજર), શ્યામ સુંદર (ફિઝિયો), અંજના વન્નન (ડોક્ટર), તુષાર ખેડકર (લોજિસ્ટિક્સ મેનેજર), અને ગણેશન (નેટ બોલર)નો સમાવેશ થાય છે. ટીમના બાકીના સભ્યો અને સ્ટાફના પણ આરટી-પીસીઆર ટેસ્ટ કરાયા હતા જે નેગેટિવ આવ્યાં હતા.
આજે સનરાઈઝર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ, નિયત સમયે યોજાશે
આઈપીએલના ટ્વિટર હેન્ડલ પરથી જાણકારી અપાઈ કે આજે સાંજે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમાં થનારી સનરાઈઝર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ નિર્ધારીત સમય પ્રમાણે થશે.