પોર્ન ઇન્ડસ્ટ્રીમાંથી બોલિવુડમાં એન્ટ્રી કરનાર સની લિયોનીની અપકમિંગ ફિલ્મ 'વીરમહાદેવી'નું પોસ્ટર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. સોશ્યલ મીડિયા પર આ ફિલ્મની સરખામણી 'બાહુબલી' સાથે કરવામાં આવી રહી છે. ફિલ્મનું પોસ્ટર સનીના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યુ છે.
આ ફિલ્મથી સની લિયોની મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સની પાસે બોલીવુડના પણ કેટલાય પ્રોજેક્ટ છે. સતત કામ મળતું હોવા છતાં સની પરેશાન છે. તાજેતરમાં જ સોશ્યલ મીડિયામાં એક વાત શેર કરી શનીએ પોતાને હેરાન કરતો હિસ્સો જણાવ્યો હતો.
સનીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં સની દુઃખી અને હેરાન હોય તેવું જણાઈ રહ્યું છે. ફોટોની સાથે સનીએ એક ઈમોશનલ કેપ્શન પણ લખ્યું હતું.
સનીએ લખ્યું કે ''આજની રાતે મારું દિલ હજાર વખત તૂટ્યું. આજની રાતે વહાવેલા આંસૂ યાદ કરીને દુઃખ વ્યક્ત કરવા માગે છે. ફરી એક વખત દુઃખને મારી નજીક રાખવા માગું છું. એ દિવસો ફરી નહીં આવે પરંતુ દિલમાં હંમેશા રહેશે. મેં જે રસ્તો અપનાવ્યો તેના માટે કરણજીત કૌર દોષિત છે. ''
તમને જણાવી દઇએ કે બોલિવુડમાં આવતા પહેલા સની એક પોર્ન સ્ટાર હતા સનીની માતાને જ્યારે આ કામ વિશે માલુમ પડ્યું ત્યારે તેઓ બહુ દુઃખી થયાં હતાં અને સની પોતાના માના મૃત્યુ માટે ખુદને જવાબદાર ગણે છે. સનીએ પોતાની ડૉક્યુમેન્ટ્રીમાં માનો ઉલ્લેખ કર્યો હતો.
સનીએ કહ્યું ''માને મારી આંખો સામે મરતાં જોઈ. મેં એમને મોર્ફિનનો આખરી ડોઝ આપ્યો હતો અને તેઓ હંમેશા માટે ઊંઘી ગયાં હતાં. ક્યારેક-ક્યારેક એવું વિચારું છું કે મારા અંતિમ ડોઝે એમનો જીવ લઈ લીધો. મને એવું લાગે છે કે મેં એમને માર્યાં છે. પરંતુ દવા આપ્યાના તુરંત બાદ તેઓનું મૃત્યુ થયું હતું.''