તાજેતરમાં વેકેશનની વીડિયો શેર કરીને ટ્રોલ થયેલો સની દેઓલ શનિવારે ગુરદાસપુર પહોંચ્યો. ત્યાં સાંસદ બન્યા બાદ પહેલી વખત એવું કામ કર્યું છે જે જાણીને તમને નવાઇ લાગશે.
ગુરદાસપુરથી સાંસદ અને બોલીવુડ અભિનેતા સની દેઓલે શનિવારે ડેરા બાબા નાનકમાં કરતારપુર ગલિયારા પર કામની પ્રગતિની સમીક્ષા કરી. એને પોતાના ટ્વિટર હેન્ડલ પર કરતારપુર ગલિયારે પર કામની સમીક્ષા કરતાં પોતાના ફોટા પોસ્ટ કર્યા.
લોકસભા ચૂંટણી જીત્યા બાદ પહેલી વખત 59 વર્ષીય ભાજપ સાંસગે કરતારપુર ગલિયારે સ્થળનો પ્રવાસ કર્યો. અધિકારીઓએ જણાવ્યું કે એમની સાથે અહીંયા ડેરા બાબા નાનકમાં જિલ્લા પ્રશાસનના અધિકારી, બીએસએફ કર્મી અને અન્ય લોકો હાજર રહ્યા હતા. ત્યાં માત્ર અડધો કલાક રોકાયો.
ભારતીય સીમા તરફથી કરતારપુર ગલિયારેનું નિર્માણ 30 સપ્ટેમ્બર સુધી પૂરું થાય એવી શક્યતા છે. કરતારપુર ગલિયારા પાકિસ્તાનના નરોવાલમાં ગુરુદ્વારા દરબાર સાહિબને ગુરદાસપુરમાં ડેરા બાબા નાનકથી જોડે છે. આ કોરિડોર ભારતથી સિખોને પાકિસ્તાનમાં સ્થિત પોતાના પવિત્ર સ્થળ સુધઘી વિઝા વગર જવાની સુવિધા ઉપલબ્ધ કરાવશે.
આ ગુરુ નાનક દેવની 550મી જયંતિ પર નવેમ્બર શ્રદ્ધાળુઓ માટે ખુલશે. આ વચ્ચે પંજાબના સહયોગ મંત્રી અને ડેરા બાબા નાનકના ધારાસભ્ય સુખજિંદર સિંહ રંધાવાએ દેઓલથી ગુરુ નાનક દેવથી જોડાયેલા શહેરોમાં માળખાગત પરિયોજનાઓ અને વિશેષ કાર્યક્રમો માટે પૂરતી રકમની વ્યવસ્થા કરવા માટે કહ્યું.
ભાજપ સાંસદ શની દેઓલ પર નિશાન સાંધચા રંધાવાએ કહ્યું કે, 'સની દેઓલની કોઇ રાજનીતિક દૂરદ્રષ્ટિ નથીય એમને આ જાણવા માટે સ્થાનિક ધારાસભ્યોને આમંત્રિત કરવા જોઇતા હતા કે એ કેન્દ્રથી શું ઇચ્છે છે.' ઉલ્લેખનીય છે કે દેઓલે ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર સુનીલ જાખડને 85,459 મતોથી હરાવ્યા હતા.