17 મી લોકસભાની ચૂંટણીમાં પહેલી વખતે સાંસદ બનેલા બોલીવુડના અભિનેતા સની દેઓલ વિશે એક સમાચાર આવ્યા છે કે તેમણે ગુરદાસપુરમાં એક સ્ક્રીન રાઇટરને તેના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા છે.
સ્પોટબોયના એક રિપોર્ટ મુજબ સ્ક્રીન રાઇટર ગુરૂપ્રિત સિંહ પલ્હેરી, સની દેઓલની લોકસભા સીટથી સાથે જોડાયેલા મામલે નજર રાખશે અને તેમનું પ્રતિનિધિત્વ કરશે. રિપોર્ટ મુજબ તેમણે પોતાના લેટરપેડ વાળી એક ઓફિશીયલ નોટ દ્વારા આ વાતની જાહેરાત કરી હતી.
Gurdaspur (Punjab) BJP MP, Sunny Deol issues statement says, 'extremely unfortunate to see a controversy being created out of nothing at all.' pic.twitter.com/U0PdHJGSD3
ભાજપના નજીકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, ગુરૂપ્રીત સનીના લોકસભા ક્ષેત્રનું કામકાજ સંભાળશે તેમની ગેરહાજરીમાં તેમનું પ્રતિનિધિત્વ કરશે. ઉલ્લેખનીય છે કે, એક સીનિયર નેતાએ કહ્યું કે, પલ્હેરીને આ કામ માટે રાખવાનો સીધો સંકેત છે કે તેમને ચેયર મીટિંગ્સ તથા રિવ્યૂ મીટિંગ્સ માટે રાખવામાં આવ્યા છે.
આ મામલે વિપક્ષે પણ સની દેઓલને આડેહાથ લીધા હતા. વિવાદને લઇને અભિનેતા-સાંસદ સની દેઓલે એક ટ્વીટ કરીને આ મામલે ખુલાસો કર્યો હતો. સની દેઓલે લખ્યું "આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, એવું કાઇપણ થયું નથી અને આટલો મોટો વિવાદ ઉભો થઇ ગયો છે. મેં માત્ર મારા PA નિયુક્ત કર્યા છે.
જે ગુરૂદાસપુરમાં મારી ઓફિસમાં મારું પ્રતિનિધિત્વ કરશે." આ નિયુક્તિ એ વાતને ધ્યાને રાખીને કરવામાં આવી છે કે હું ગુરૂદાસપુરની બહાર છું, સંસદમાં છું કે ક્યાંય બહાર છું તો પણ કામ સતત, રોકાયા વગર થઇ શકે"સનીએ કહ્યું કે, આ નિયુક્તિ માત્ર એ વાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે કે, કોઇપણ કામ અટકે નહીં અથવા લેટ ન થાય.