રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની જાહેરાત કરી દેવામાં આવી છે. આ જાહેરાત બાદ સુન્ની વકફ બોર્ડે પણ બાબરી મસ્જિદ નિર્માણ માટે ટ્રસ્ટ બનાવાનો નિર્ણય લીધો છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ બે-ત્રણ દિવસની અંદર ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવશે. ટ્રસ્ટનું નામ 'ઇંડો ઇસ્લામિક કલ્ચર ટ્રસ્ટ' હશે. આ ટ્રસ્ટમાં બાબરી મસ્જિદ મામલા સાથે જોડાયેલ કેટલાંક લોકોને સભ્ય બનાવામાં આવશે.
રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની જાહેરાત કરી દેવામાં આવી
સુન્ની વકફ બોર્ડે પણ બાબરી મસ્જિદ નિર્માણ માટે ટ્રસ્ટ બનાવશે
ટ્રસ્ટનું નામ 'ઇંડો ઇસ્લામિક કલ્ચર ટ્રસ્ટ' હશે
'ઇંડો ઇસ્લામિક કલ્ચર ટ્રસ્ટ' દ્વારા 5 એકર જમીન પર હોસ્પિટલ, વિદ્યાલય, ઇસ્લામિક કલ્ચર એક્ટિવિટિને પ્રોત્સાહિત કરનાર ઇન્સ્ટિટયૂટ, લાયબ્રેરી, પબ્લિક યૂટિલિટિ ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવા તેમજ બીજી રીતે સામાજિક ગતિવિધિઓને વધારવાનું કામ કરવામાં આવશે. આ ટ્રસ્ટમાં ભારત અને ભારતની બહાર પણ ઇસ્લામિક કલ્ચરને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમો કરવામાં આવશે.
આ ટ્રસ્ટ દ્વારા સુન્ની વકફ બોર્ડ ભારતમાં બંને સમુદાય વચ્ચે સંપ બનાવાને લઇને કાર્યક્રમ પણ ચલાવામાં આવશે. સુન્ની વકફ બોર્ડે આ ટ્રસ્ટની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરી લીધી છે અને તેનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવશે.
આવનારા દિવસોમાં સરકાર તરફથી 5 એકર જમીન મળ્યા પછી કામ શરૂ કરવામાં આવશે. આવનારી 24 ફેબ્રુઆરીના રોજ બેઠક કરી રૂપરેખા તૈયાર કરવામાં આવશે. આ બેઠક પહેલા ટ્રસ્ટનું ગઠન કરવામાં આવશે. સુન્ની વકફ બોર્ડનો અધ્યક્ષ જ આ ટ્રસ્ટનો અધ્યક્ષ હશે. હાલમાં સુન્ની વકફ બોર્ડના અધ્યક્ષ તરીકે જુફર ફારૂખી છે.