સુન્ની વક્ફ બોર્ડની અધ્યક્ષતામાં અધવક્તા શાહિદ રિઝવીએ કહ્યું કે અમે મધ્યસ્થતા પેનલને અમારા વિચારો આપ્યા છે પણ અમે કોર્ટમાં પ્રસ્તુત કરવામાં આવેલી કેસ પતાવવાની યોજનાનો ખુલાસો નહીં કરી શકીએ. આ સકારાત્મક છે અને દરેક લોકો હિંદુ અને મુસલમાન ખુશ રહેશે.
મુસ્લિમ પક્ષે કહ્યું બંને પક્ષની જીત થશે
આજે બોર્ડના વકીલે સમજૂતીની વાતોને નકારી
સુન્ની વક્ફ બોર્ડમાં મતભેદ છે?
અયોધ્યા કેસમાં સુન્ની વક્ફ બોર્ડમાં મતભેદની વાત સામે આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષના વકીલોએ નિવેદન જાહેર કરતાં કહ્યું છે કે અમે કોઈ પણ મધ્યસ્થતાને મંજૂરી આપતા નથી. વકીલોએ કહ્યું, "ન અમને અને ન હિંદુ પક્ષોને ન તો મધ્યસ્થી મંજૂર છે. માત્ર ઝફર ફારૂકી અને ધર્મદાસે ભાગ લીધો હતો. પેનલના સભ્યો શ્રીરામ પંચુ અને ઝફર ફારૂકી સુમેળમાં હોય તેવું લાગે છે."
Advocate on record for Sunni Waqf Board Ejaz Maqbool in Supreme Court has issued a press release and denied reports of settlement on Ayodhya issue before the mediation panel.
મુસ્લિમ પક્ષ વિવાદિત જમીન પર દાવો છોડી દેવા માટે સંમત થયો છેઃ રિપોર્ટ
રિપોર્ટ લીક થવાના સમય પર પણ એક સવાલ છે. ''જણાવી દઈએ કે બુધવારે જ્યારે અંતિમ સુનાવણી ચાલી રહી હતી કે આ કેસમાં બનેલી આર્બિટ્રેશન કમિટીએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો અહેવાલ આપ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે આ અહેવાલમાં જણાવ્યું છે કે મુસ્લિમ પક્ષ વિવાદિત જમીન પર દાવો છોડી દેવા માટે સંમત થયો છે, આ સાથે એમ પણ કહ્યું છે કે સરકારે અયોધ્યાની બાકીની મસ્જિદોનો નવીનીકરણ કરીને મસ્જિદ સ્થાપવી જોઈએ. અને સાથે જ જમીન પણ આપવી જોઈએ.
સુન્ની વક્ફ બોર્ડના વકીલે કહ્યું આવું
સુન્ની વકફ બોર્ડના વકીલ શાહિદ રિઝવીએ પણ જણાવ્યું કે 'અમે આર્બિટ્રેશન પેનલને અમારા મંતવ્યો આપ્યા છે, પરંતુ અમે કોર્ટમાં રજૂ કરેલી સમાધાન યોજના જાહેર કરી શકીએ નહીં. તે સકારાત્મક છે અને તમામ લોકો, હિન્દુઓ અને મુસ્લિમો ખુશ હશે. 'આ કરારથી બંને પક્ષ ખુશ થશે તેવું પૂછતાં રિઝવીએ કહ્યું, "તે હિન્દુઓ અને મુસ્લિમો બંનેની જીતની સ્થિતિ છે."
મધ્યસ્થતા દ્વારા આ મુદ્દાને હલ કરવો મુશ્કેલ હોઈ શકે
એવું માનવામાં આવે છે કે પેનલનો આ અહેવાલ 134 વર્ષ જુના આ વિવાદના સમાધાનમાં મહત્વની કડી સાબિત થઈ શકે છે. આજે વકીલોના નિવેદન પછી, એવું લાગે છે કે મધ્યસ્થતા દ્વારા આ મુદ્દાને હલ કરવો મુશ્કેલ હોઈ શકે છે. આર્બિટ્રેશન પેનલમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એફએમ કાલિફેલા, શ્રી રવિશંકર અને વરિષ્ઠ એડવોકેટ શ્રી રામ પંચુ સામેલ છે.