અયોધ્યા કેસમાં સુન્ની વક્ફ બોર્ડ અને અન્ય મુસ્લિમ પક્ષની તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા વકીલ રાજીવ ધવનને આ કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ અંગે તેઓએ ફેસબુક પોસ્ટ દ્વારા માહિતી આપી છે. તેમણે ફેસબુક પર લખ્યું કે, મને બાબરી કેસમાંથી એડવોકેટ ઓન રેકોર્ડ અને જમિઆતનું પ્રતિનિધિત્વ કરનારા ઇજાઝ મકબુલ દ્વારા હટાવવામાં આવ્યો છે.
રાજીવ ધવને ફેસબુક પોસ્ટ લખી આપી જાણકારી
અયોધ્યા કેસમાંથી વકીલ રાજીવ ધવનને હટાવાયા
અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષના વકીલ હતા રાજીવ ધવન
મને ઔપચારિક પત્ર મોકલાયો છેઃ રાજીવ ધવન
મેં કોઈ વાંધા વિના મને હટાવવાના નિર્ણયને સ્વીકારતા ઔપચારિક પત્ર મોકલ્યો છે. ઉલ્લેખનીય છે કે જમિઆત ઉલેમા-એ-હિંદે સોમવારે અયોધ્યા કેસના ચુકાદા સામે સમીક્ષા અરજી કરી છે.
Advocate Rajeev Dhawan (who appeared for Sunni Waqf Board & other Muslim parties in Ayodhya case): No longer involved in the review or the case. I have been informed that Mr Madani has indicated that I was removed from the case because I was unwell. This is total nonsense. https://t.co/K9rNgsk0No
રાજીવ ધવને લખ્યું છે કે હવે હું પુનર્વિચાર અરજી કે કેસનો ભાગ નથી. મને કહેવામાં આવ્યું છે કે મદનીએ મારી બરતરફી વિશે વાત કરી છે. મારી તબિયત ખરાબ હોવાને કારણે મને કેસમાંથી દૂર કરવામાં આવ્યો છે. આ સંપૂર્ણ નોનસેન્સ છે. જમિઆતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે હિન્દુઓને વિવાદિત સ્થળ આપવું એ એક અર્થમાં બાબરી મસ્જિદ તોડવા માટે 'ઈનામ' છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે સંપૂર્ણ ન્યાય માટે બાબરી મસ્જિદ ફરીથી બનાવવામાં આવે.