ખેડૂત આંદોલન હવે એક અલગ વળાંક પર છે. તેના પર ટ્વિટ કરીને સુનીલ શેટ્ટી ફસાઇ ગયા છે.
સુનીલ શેટ્ટીએ ખેડૂત આંદોલન પર કર્યુ ટ્વિટ
ટ્વિટ કરીને ખરાબ રીતે ટ્રોલ થયો એક્ટર
અજય દેવગણ પણ ટ્રોલર્સના નિશાને
ખેડૂત આંદોલન પર રિહાન્નાની ટ્વિટ બાદ મિયા ખલીફા અને ક્લાઇમેટ એક્ટિવિસ્ટ ગ્રેટાએ પણ ટ્વિટ કરી હતી. જેના વિરુદ્ધમાં આખો દેશ એક સાથે આવી ગયો હતો અને બોલિવૂડ સહિત સ્પોર્ટ્સના સેલેબ્સે ટ્વિટ કરી હતી.
બોલિવૂડ સેલેબ્સે કરી ટ્વિટ
અજય દેવગણ, અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટી સહિતના અન્ય લોકોએ પણ ટ્વિટ કરી હતી પરંતુ આ સેલેબ્સને ટ્વિટર પર ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. જેના પરિણામે ટ્વિટર પર Shame On Bollywood અને Antinational Bollywood ટ્રેન્ડ કરવા લાગ્યુ છે.
સુનિલ શેટ્ટી થયો ટ્રોલ
અભિનેતા સુનીલ શેટ્ટીએ હાલમાં જ ટ્વિટ કર્યુ હતું કે કેટલાક લોકોએ માની લીધુ છે કે હું ખેડૂતો વિરુદ્ધ છું, સોશ્યલ મિડીયા પર આ પ્રકારના વ્યવહારથી મને ગૂંગળામણ થાય છે. સુનીલે રિહાન્ના અને ગ્રેટા થનબર્ગની ટ્વિટ બાદ જ પોતાનું નિવેદન આપ્યું હતુ.
ટ્રોલિંગથી પરેશાન એક્ટર
સુનીલે ટ્વિટમાં લખ્યું હતું કે, આપણે હંમેશા વસ્તુઓ પ્રત્યે વ્યાપક દ્રષ્ટિકોણ રાખવો જોઇએ કારણકે અર્ધસત્યથી ખતરનાક કશું જ નથી. મારા વિરુદ્ધ ખેડૂત વિરોધી થવાનો નેરેટિવ બનાવવામાં આવી રહ્યો છે. જેનાથી મને દુઃખ થયુ છે.
મારા પૂર્વજ ખેડૂત હતા
સુનીલે કહ્યું કે મારા પૂર્વજ ખેડીત હતા અને હું મેંગ્લોરના મુલ્કી નામના નાના શહેરમાંથી આવું છું. આજે પણ હું વર્ષમાં ચાર વાર ત્યાં જઉ છું. હું ભારતીય છુ અને કોઇ પણ પોલિટીકલ પાર્ટી સાથે જોડાયેલો નથી.
મને ગૂંગળામણ થાય છે
એક્ટરે આગળ કહ્યું કે આ બધી ઘટનાઓથી મને ગૂંગળામણ થાય છે. લોકો આટલા દુઃખી કેમ છે. આપણી પાસે કોઇ એજન્ડા નથી. જો ભારત હારી રહ્યું છે તો આ મારી ટીમ છે અને જો જીતી રહ્યું છે તો હું તેની પ્રશંસા કરીશ.