કપરા સમયમાંથી પસાર થઈ રહેલી કોંગ્રેસ પાર્ટીમાં પ્રાણ ફુંકવા માટે રાજસ્થાનમાં મહામંથન કરી રહી છે. જ્યારે બીજી બાજૂ પંજાબમાંથી એક મોટો ઝટકો મળ્યો છે.
કોંગ્રેસ પાર્ટીને લાગ્યો પંજાબમાંથી મોટો ઝટકો
રાજસ્થાનમાં ચિંતન શિબિર કરી રહી છે પાર્ટી
દિગ્ગજ નેતાએ પાર્ટીને રામ રામ કહી દીધા
કપરા સમયમાંથી પસાર થઈ રહેલી કોંગ્રેસ પાર્ટીમાં પ્રાણ ફુંકવા માટે રાજસ્થાનમાં મહામંથન કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, 2024 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા કોંગ્રેસ કંઈક મોટા ફેરફાર કરી શકે છે. આ જ ક્રમમાં રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસ ત્રણ દિવસીય ચિંતન શિબિર કરી રહી છે. પાર્ટી 2024થી પહેલા કઈ રીતે મજબૂત કરવામાં આવે, તેને લઈને મંથન ચાલી રહ્યું છે.
તો વળી બીજી બાજૂ પંજાબ કોંગ્રેસમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. હકીકતમાં જોઈએ તો, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડે પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સમાચાર આવી રહ્યા છે કે, તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. આપને જણાવી દઈએ કે, પંજાબ કોંગ્રેસના નેતા સુનીલ જાખડે આજે ફેસબુક પર લાઈવ થઈને પોતાની મન કી વાત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની પણ જાહેરાત કરી હતી.
તેમણે ફેસબુક દ્વારા પોતાની મનની વાત રાખતા કોંગ્રેસને ઘણુ બધું સંભળાવી દીધું હતું. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વ પર જોરદાર પ્રહારો કર્યા હતા. આપને જણાવી દઈએ કે, હાલમાં જ કોંગ્રેસે સુનીલ જાખડ પર અનુશાસનિક કાર્યવાહી કરતા તેમને પદ પરથી હટાવી દીધા હતા.
"...Good luck and goodbye Congress..." says former Punjab Congress chief Sunil Jakhar in a Facebook live as he quits the party. pic.twitter.com/ABk8lKSN7W
નવાઈની વાત એ છે કે એક બાજૂ જ્યાં કોંગ્રેસ પાર્ટી રાજસ્થાનમાં ચિંતન શિબિર કરી રહી છે અને આ પાર્ટી કોંગ્રેસને ઝટકા લાગી રહ્યા હતા. તેથી કોંગ્રેસ પાર્ટી માટે આ પણ એક મોટો ચિંતાનો વિષય છે.
આપને જણાવી દઈએ કે, સુનીલ જાખડે ટ્વિટર પ્રોફાઈલમાંથી કોંગ્રેસ પાર્ટીનું નામ હટાવી દીધું હતું. જે બાદ તેઓ કોંગ્રેસ પાર્ટીને રામ રામ કહી દેશે તેવી અટકળો ચાલી રહી હતી. જો કે, હવે તે વાત સાચી સાબિત થઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે, સુનીલ જાખડ પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાથી તેમને પાર્ટી સાથે વાંકુ પડ્યું છે.