એક્ટરે પોતાના સ્ટ્રગલના દિવસોને યાદ કરતા કહ્યું કે, એક વખત તેને શોમાં રિપ્લેસ કરી દીધો છે. નવાઇની વાત તો એ છે કે તેની જાણકારી તેને આપવામાં આવી જ ના હતી.
કપિલ શર્મા સાથે થયો હતો મતભેદ
કહ્યા વિના સુનીલને શોમાંથી કર્યો હતો રિપ્લેસ
સલમાન, શાહરુખ સાથે મોટા પરદા પર કામ કરી ચુક્યો છે સુનીલ ગ્રોવર
જાણીતા કોમેડિયન અને એક્ટર સુનીલ ગ્રોવરને આજે કોઇ ઓળખની જરુર નથી. તે પોતાની કોમેડીથી લોકોને હંસવા પર મજબૂર કરી દે છે. દરેક પાત્રને તે પોતાની એક્ટિંગથી જલવો બચાવી ચુક્યો છે. આજે સુનીલ ગ્રોવર દિવસ રાત પ્રગતિ કરી રહ્યો છે. જો કે અહીં સુધી પહોંચવા સુનીલ માટે સરળ ના હતુ, એક્ટરે પોતાના સ્ટ્રગલના દિવસોને યાદ કરતા કહ્યું કે, એક વખત તેને શોમાં રિપ્લેસ કરી દીધો છે. નવાઇની વાત તો એ છે કે તેની જાણકારી તેને આપવામાં આવી જ ના હતી.
સુનીલ ગ્રોવર પોતાના જુના દિવસોને યાદ કરતા કહે છે કે, એક શો હતો જેમાંથી મને રિપ્લેસ કરવામાં આવ્યો ત્રણ દિવસના શુટિંગ બાદ પણ મને જણાવવામાં આવ્યુ ના હતું. મને કોઇ બીજા પાસેથી આ વાત જાણવા મળી. આ ઘટના બાદ હું સતત એજ વિચાર્યા કરતો હતો કે શું ફરી તે લોકો સાથે હું કામ કરી શકીશ. અચાનક થયેલા આ વિવાદ બાદ તે ગાયબ થઇ ગયા. ફરી એક વખત તેણે ટ્રાય કરવાનું વિચાર્યું.
આ ઉપરાંત સુનીલ ગ્રોવરે પોતાના ઇનસ્ટાગ્રામ ફોલોવર્સ અને સક્સેસને લઇને વાત કરી. તેઓએ કહ્યું," મેં બધાને રિક્વેસ્ટ કરુ છું કે પ્લીઝ ખુદને જજ ના કરો, કેટલા ફોલોઅર્સ, કેટલી કમેન્ટ છે. આ તમારી સેલ્ફ વર્થ નક્કી કરશે. પ્લીઝ આમ ના કરો. આના કારણે મેં ઘણા લોકોને ડિપ્રેશનમાં જતા જોયા છે."
ઉલ્લેખનીય છે કે આ કિસ્સો કપિલ શર્મા શો સાથે જોડાયેલો છે. કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે થયેલી એક અનબનને સુનીલ ગ્રોવરની શોમાંથી છુટ્ટી કરાવી હતી. તેમ છંતા સુનીલ ગ્રોવર હવે મોટા પરદા પર જોવા મળે છે. સલમાન ખાન અને શાહરુખ ખાનની સાથે કોમેડિયન તરીકે સારુ કામ કરે છે.
સુનીલ ગ્રોવર સ્ટારર 'યુનાઈટેડ કચ્છે' 31 માર્ચે OTT પર રિલીઝ થશે. કોમેડીથી ભરપૂર યુનાઈટેડ કચ્છે સિરીઝમાં સુનીલ ગ્રોવર સાથે સતીશ શાહ, સપના પબ્બી, નિખિલ વિજય, મનુ ઋષિ ચઢ્ઢા, નયની દીક્ષિત અને નીલુ કોહલી છે. હવે જોવાનું એ રહેશે કે આ સિરીઝ દર્શકોને હસાવવામાં સફળ થાય છે કે નહીં.