ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરને મોટો ઝટકો લાગી શકે છે. મહારાષ્ટ્ર આવાસ અને ક્ષેત્ર વિકાસે બાંદ્રામાં 21 હજાર 348 સ્ક્વેયર ફૂટનાં પ્લોટની લીઝ પાછી લઇ લેવાની તૈયારીમાં છે. સુનીલ ગાવસ્કર ટ્રસ્ટને આ પ્લોટ 31 વર્ષ પહેલાં ઇન્ડોર ક્રિકેટ એકેડેમી બનાવવા માટે આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરીટીનાં ઉપાધ્યક્ષ અને ચીફ એગ્ઝીક્યુટીવ ઓફિસર મિલિંદ મ્હાસ્કરે એક અખબારને જણાવ્યું કે ઓથોરીટી હવે આપવામાં આવેલી આ જમીનની લીઝને રદ્દ કરવા માટે સરકારને અપીલ કરવામાં આવી છે
ફાળવવામાં આવેલ જમીનને લઈને નિયમો અને શરતો 1999, 2002 અને 2007માં સંશોધિત કરવામાં આવ્યા
ઓથોરિટીએ રંગશારદા ઓડીટોરીયમ પાસે ક્રિકેટ એકડેમી માટે જમીન ફાળવી હતી
ફાઉન્ડેશન દ્વારા કોઈ પણ નિર્માણ કાર્ય શરુ કરવામાં આવ્યું નથી
મિલિંદ અનુસાર એકેડેમી માટે 31 વર્ષ પહેલાં જમીન ફાળવવામાં આવી હતી છતાં આજ દિન સુધી કોઈ પણ નિર્માણ કાર્ય થયું નથી. જે બાદ હવે અમે તે જમીન પછી લેવા માટે સરકારને પ્રસ્તાવ આપ્યો છે. આધિકારિક માહિતીઓ અનુસાર સુનીલ ગાવસ્કરને મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ઓથોરિટીએ રંગશારદા ઓડીટોરીયમ પાસે ક્રિકેટ એકડેમી માટે જમીન ફાળવી હતી. ફાળવવામાં આવેલ જમીનને લઈને નિયમો અને શરતો 1999, 2002 અને 2007માં સંશોધિત કરવામાં આવ્યા. પરંતુ આ ફાઉન્ડેશન દ્વારા કોઈ પણ નિર્માણ કાર્ય શરુ કરવામાં આવ્યું નથી.
24 ડિસેમ્બરનાં રોજ સુનીલ ગાવસ્કરે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી
मुख्यमंत्री मा. श्री. उद्धव साहेब ठाकरे यांची आज महान क्रिकेटपटू, लिट्ल मास्टर सुनील गावस्कर जी यांनी मातोश्री निवासस्थानी सदिच्छा भेट घेतली.
CM Uddhav Balasaheb Thackeray met with ace Cricketer, Little Master Sunil Gavaskar ji at Matoshree, today. pic.twitter.com/LaDcHPR2wt
નોંધનીય છે કે 24 ડિસેમ્બરનાં રોજ સુનીલ ગાવસ્કરે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. જોકે માતોશ્રીમાં થયેલ આ મુલાકાતમાં કયા વિષય પર ચર્ચા કરવામાં આવી છે તેના પર કોઈ જાણકારી આપવામાં આવી નથી. નોંધનીય છે કે શરતો અનુસાર સુનીલ ગાવસ્કર ક્રિકેટ ફાઉન્ડેશન ટ્રસ્ટને જમીન ફાળવવામાં આવે તે બાદ ત્રણ મહિનાની અંદર જ નિર્માણ કાર્ય શરુ કરવાનું હતું અને ત્રણ જ વર્ષમાં કાર્ય પૂર્ણ કરવાનું હતું. ઘણી વખત સમય સીમા વધારવામાં આવી છતાં આ ટ્રસ્ટ નિર્માણ કાર્યમાં નકામું રહ્યું. એગ્રીમેન્ટની શરતો અનુસાર સરકારે આ જમીન 60 વર્ષ માટે લીઝ પર આપી હતી. આ જમીન પર ટ્રસ્ટને બીન લાભકારી આધાર પર એકડેમી ચલાવવાની હતી.
ઝીમ્બાબ્વે ક્રિકેટ ટીમના હેડ કોચ લાલચંદ રાજપૂતે પણ ક્રિકેટ ટ્રેનીંગ એકેડેમી બનાવવા માટે જમીન મેળવવા માટે અરજી કરી
વર્ષ 2011માં દબાણની ફરિયાદો બાદ મહારાષ્ટ્ર હાઉસિંગ બોર્ડ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સુનીલ ગાવસ્કર ક્રિકેટ ફાઉન્ડેશન ટ્રસ્ટ વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી દેવામાં આવી હતી. ત્યાં બીજી તરફ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે ટીમ ઈન્ડિયાનાં પૂર્વ મેનેજર અને વર્તમાન ઝીમ્બાબ્વે ક્રિકેટ ટીમના હેડ કોચ લાલચંદ રાજપૂતે પણ ક્રિકેટ ટ્રેનીંગ એકેડેમી બનાવવા માટે જમીન મેળવવા માટે અરજી કરી છે.