ભારતના મહાન બેટ્સમેન સુનિલ ગવાસ્કરે સાઉથએમ્પટનની પીચનું અનુમાન લગાવીને ભારતની જીત માટે આ 2 ખેલાડીઓ પસંદ કર્યા કે જે પોતાના દમ પર ભારતને જીત અપાવી શકે છે.
સાઉથએમ્પટનમાં પડી રહેલી ગરમી મેચમાં ભજવશે મહત્વનો ભાગ
18 જૂનથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ યોજાવાની છે. સુનિલ ગવસ્કર આ મેચ માટે કોમેન્ટ્રી પેનલનો ભાગ છે, તે છેલ્લા કેટલાક દિવસથી સાઉથએમ્પટનમાં જ છે તેણે કહ્યું કે, અહિયાં જોરદાર ગરમી પડી રહી છે અને આવનાર કેટલાક દિવસો સુધી આવી જ ગરમી પડશે જેનાથી પીચ સુકાઇ જશે અને ટીમ ઈન્ડિયા તેનો ફાયદો ઉઠાવી શકે છે.
સ્પિનર્સ માટે અનુકૂળ રેહશે પીચ
પીચ સુકાઇ જતાની સાથે જ સ્પિનર્સ માટે બોલિંગ ઇઝી બની જશે અને ઈન્ડિયા પાસે વિશ્વસ્તરીય સ્પિનર્સ રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા ટીમમાં છે તો ભારત 3 ફાસ્ટ બોલર્સ સાથે 2 સ્પિનરને રમાડે તો ભારતની જીત સુનિશ્ચિત થઈ શકે છે. ગવાસ્કરે કહ્યું કે, અશ્વિન અને જાડેજા ભારતની જીત માટે અગ્રેસર ભૂમિકા ભજવશે.
ગાવસ્કરે અશ્વિનની બોલિંગના વખાણ કરતાં કહ્યું કે, અશ્વિન એક ચતુર બોલર છે, તે બેટ્સમેનને ખરાબ શૉટ રમવા પર મજબૂર કરીને વિકેટ્સ લેવાની આવડત ધરાવે છે. અશ્વિનની બોલિંગમાં અઢળક વેરીએશન્સ છે કે જે બૅટ્સમૅનને હમેશાં મુંજવણમાં મૂકી દે છે. ન્યુઝીલેન્ડ સામે અશ્વિનની ધારદાર બોલિંગ ભારતને જીત અપાવી શકે છે.
ભારતીય ટીમનું સંતુલન મજબુત
ગવાસ્કરે ભારતીય ટીમના સંતુલન પર વાત કરતાં જણાવ્યું કે, અશ્વિન અને જાડેજા માત્ર બોલિંગથી જ નહી પરંતુ બેટિંગથી પણ યોગદાન આપી શકે છે. જાડેજાએ પોતાની બેટિંગથી ભારતને ઘણી વાર જીત આપવી છે અને અશ્વિનની તાજેતરમાં જ ઈંગ્લેન્ડ સામે 100 રનની ઇનિંગ ભારતીય ટીમની બૅટિંગ ડેપ્થ દર્શાવે છે. હવે જોવાનું એ રહેશે કે, ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે પોતાના 2 સ્પિનર્સ કે 4 ફાસ્ટ બોલર્સ ઉતારશે.