ભારતના ખેલાડીઓ સક્ષમ છે કે કોઈપણ પરિસ્થિતિને અનુરૂપ પોતાનું પ્રદર્શન આપે: સુનિલ ગાવાસ્કર
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પહોંચી
ન્યૂઝિલેન્ડ માટે વધારે અનુકૂળ રેહશે પિચ
ઈંગ્લેન્ડને ઈંગ્લેન્ડમાં ટક્કર આપવા માટે ભારતીય ટીમ સક્ષમ
ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત વિશ્વ કપ યોજોઈ રહ્યો છે ત્યારે ભારત ટેસ્ટમાં પ્રથમ વિશ્વ વિજેતાનો ખિતાબ મેળવવા માટે આતુર બન્યું છે. ઇંગ્લેન્ડને હરાવીને ભારત આ ટેસ્ટ વિશ્વ કપની ફાઇનલમાં તો પહોંચી ગયું છે પરંતુ હવે ભારતીય ટીમની સાચી અગ્નિ પરીક્ષા થવા જઈ રહી છે.
ટેસ્ટ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારતનો મુકાબલો ન્યૂઝિલેન્ડ સાથે થવાનો છે પરંતુ આ મેચ ઈંગ્લેન્ડમાં રમાશે જેને લઈને ભારતની મુશ્કેલી વધી શકે છે. ભારતની મુશ્કેલી વધવાનું કારણ ઈંગ્લેન્ડની મુશ્કિલ પરિસ્થિતિઓ છે કે જે ન્યૂઝિલેન્ડને વધારે અનુકુળ રેહશે.
ભારતે ઈંગ્લેન્ડને 3-1થી હરાવ્યું હતું
હાલમાં જ થયેલી 4 મેચની સિરીઝમાં ભારતે ઈંગ્લેન્ડને 3-1થી હરાવ્યું હતું જેમાં મહેમાન ટીમના ખેલાડીઓએ પિચ અંગે નારાજગી વ્યકત કરી હતી. ઈંગ્લેન્ડના ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ પણ પિચને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું હતું કે, ભારતે જાણી જોઈને ઈંગ્લેન્ડ માટે પ્રતિકૂળ પિચ તૈયાર કરી હતી. 2 દિવસની અંદર મેચ સમાપ્ત થવી દર્શાવે છે કે પિચ રમવા માટે યોગ્ય ન હતી.
ભારતીય ટીમ ટેસ્ટ વિશ્વકપની ફાઇનલ માટે ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. ફાઇનલ બાદ ભારત ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચ રમશે જેમાં ઈંગ્લેન્ડ ભારત સામે બદલો લેવા માટે ગ્રીન પિચ બનાવી શકે છે. ભારતીય પૂર્વ કપ્તાન સુનિલ ગાવસ્કરે જણાવ્યું કે ઈંગ્લેન્ડની આ ચાલાકી ઈંગ્લેન્ડ પર જ ભારે પડી શકે છે. ભારત પાસે ગ્રીન પિચ પર ઈંગ્લેન્ડના ખેલાડીઓને હેરાન કરી શકે એવા બોલર્સ પણ છે.
ભારતના ખેલાડીઓ સક્ષમ છે કે કોઈપણ પરિસ્થિતિને અનુરૂપ પોતાનું પ્રદર્શન આપે
ગાવસ્કરે વધુમાં જણાવ્યું કે, ઈંગ્લેન્ડ ક્રિકેટ સમર આ વખતે ભારતીય ટીમનો ગોલ્ડન સમર બની શકે છે. ટેસ્ટ વિશ્વકપની ફાઇનલ મેચ પછી અંદાજિત 6 અઠવાડિયા જેટલો સમય છે ભારતીય ટીમ પાસે પરિસ્થિતિઓ સમજવા માટે અને ભારતના ખેલાડીઓ સક્ષમ છે કે કોઈપણ પરિસ્થિતિને અનુરૂપ પોતાનું પ્રદર્શન આપે અને ઈંગ્લેન્ડ જો ભારતને હેરાન કરવા ગ્રીન પિચ બનાવશે તો આ ચાલાકી તેમના પર જ ભારી પડી શકે છે.