પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે મેજબાન ઓસ્ટ્રેલિયાને આ વાત માટે આડેહાથ લીધું કે બોર્ડે ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક સીરિઝ જીત્યા પછી કોઇ કેશ પુરસ્કારની જાહેરાત નથી કરી. તેમણે કહ્યુ કે ખેલાડીઓ તે રકમના ભાગીદાર છે જને કમાવવામાં મદદ કરે છે. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં પહેલી વખત વન- ડે સીરિઝ 2-1થી જીતી છે. 'મેન ઑફ ધ મેચ' યુઝવેન્દ્ર ચહલ અને 'મેન ઑફ ધ સીરિઝ' મહેન્દ્ર સિંહ ધોનીને મેચ 500-500 ડોલર (લગભગ 35-35 હજાર રૂપિયા) આપવામાં આવ્યા છે.
ખેલાડીઓએ આ ઇનામની રકમ દાનમાં આપી દીધી છે. ટીમમાં પૂર્વ વિકેટકિપર એડમ ગિલક્રિસ્ટે માત્ર વિજેતા ટ્રોફી આપી. ગાવસ્કરે મેજબાનોની ખૂબ નિંદા કરી કે તેમને કોઇ રોકડ પુરસ્કાર આપવામાં ન આવ્યુ. ગવાસ્કરે કહ્યુ કે ''500 ડોલર શુ છે આ શરમજનક છે કે ટીમને માત્ર ટ્રોફી મળી છે. તે (આયોજક) પ્રસારણ અધિકારથી આટલી રકમ કમાય છે. તેઓ ખેલાડીઓની જ રમતની આટલી રકમ અપાવે છે.''
ગાવસ્કરે આગળ કહ્યું કે ''વિમ્બલડન ચેમ્પિયનશિપમાં આપવામાં આવતી રકમને જુઓ.'' જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયાના યુઝવેન્દ્ર ચહલની કમાલની બોલિંગ અને 'મેચ ફિનિશર' મહેન્દ્ર સિંહ ધોની અને કેદાર જાધવ વચ્ચે ચોથી વિકેટ માટે અણનમ 121 રનની પાર્ટનરશિપની મદદથી ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને વનડે સીરિઝ 2-1થી વિજય મેળવ્યો.
ટેસ્ટ મેચોની સીરિઝમાં ઈતિહાસ રચનારી ટીમ ઇન્ડિયા વન-ડેમાં પણ ઇતિહાસ રચ્યો. આ પહેલા T-20 ઇન્ટરનેશનલ સીરિઝ 1-1થી ડ્રો થઇ. આવી રીતે વિરાટ કોહલીની ટીમ ઓસ્ટ્રેલિયામાં એક પણ સીરિઝ ન ગુમાવનારી ટીમ બની ગઇ છે.