એક ઇન્ટરવ્યૂમાં ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખિલાડી સુનીલ ગાવસ્કરે ધોનીને મામલાના નારાજગી બતાવી હતી. તેમણે કહ્યુ કે, ''કેપ્ટને હંમેશા કંટ્રોલમાં રહેવુ જોઇએ.''
સુનીલ ગાવસ્કરે કહ્યુ કે, ''ધોનીએ જે કર્યુ તે ખોટું હતુ તેણે આમ ના કરવુ જોઇએ. આ સાથે જ બૉલ જો કમર ઉપર છે તો નૉ બૉલ છે તેનો નિર્ણય અમ્પયાર જ કરશે.''
વાસ્તવમાં ગુરુવારે રમાયેલી મેચમાં જોવા મળ્યુ કે ધોની નૉ બોલ વિવાદમાં એટલો ગુસ્સે થયો કે સ્ટેન્ડમાંથી ઉઠીને ગ્રાઉન્ડમાં દોડી આવ્યો અને અમ્પાયરની સામે દલિલ કરવાની શરૂ કરી દીધી, આ મામલો એટલો બગડ્યો 50% ફી દંડ ફટાકરી દેવામાં આવ્યો.
વાસ્તવમાં જ્યારે ગુરુવારે રાજસ્થાન રૉયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઇ હતી, જેમાં એક સ્થિતિમાં નૉ બોલ વિવાદ સર્જાઇ ગયો. અમ્પાયરે નૉ બોલ સ્થિતિનો વિવાદ ત્યારે સર્જાયો જ્યારે અમ્પાયરે ગાંધે નૉ બોલ આપ્યા પછી કહ્યુ કે, તેમણે આ નૉ બૉલનો નિર્ણય નહતો લીધો. આ પછી ધોની અમ્પાયર પાસે ગયો અને બોલાચાલી થઇ.
વાસ્તવમાં બોલ પડ્યા પછી અમ્પયાર ગાંધે હાથ આડો કર્યા પછી તેમણે આ બોલને સામાન્ય ગણાવ્યો. આ પછી ધોની ગુસ્સામાં ગ્રાઉન્ડ પર આવ્યો અને ઉગ્ર રીતે અમ્પયાર સાથે વાત કરી, ધોનીએ કોડ ઑફ કંડક્ટ 2.20 હેઠળ લેવલ 2નો દોષી ગણાયો હતો, જેના લીધે તેની 50 ટકા ફી દંડ પેટે કાપી લેવામાં આવી છે.