પતંજલિ આયુર્વેદ સંસ્થાના ડેરી પ્રોડક્ટના સીઈઓ સુનીલ બંસલનું કોરોના સંક્રમણના કારણે મોત થયું છે. જોકે આ વિશે સંસ્થાએ કોઈ જાણકારી નથી આપી.
બાબ રામદેવના ડેરી બિઝનેસના CEO સુનીલ બંસલનું કોરોનાથી નિધન
કોરોના સંક્રમિત થવા પર હોસ્પિટલમાં હતા દાખલ
એલોપેથી પર નિવેદન આપ્યા બાદ વિવાદમાં છે બાબા
કોરોના સંક્રમણે પતંજલિને પણ પોતાની ઝપેટમાં લીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર પતંજલિના ડેરી બિઝનેસના સીઈઓ સુનીલ બંસલનું કોરોનાના કારણે નિધન થઈ ગયું છે. તે થોડા સમય પહેલા ખાંસી- શરદીથી પીડિત હતા. ગયા થોડા દિવસો તેમના ફેફસામાં ઈન્ફેક્શન વધુ હોવાના કારણે તેમની તબિયત વધારે બગડી ગઈ હતી. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર સમયે તેમને બ્રેન હેમરેજ થયું અને 19મેના રોજ તેમનું નિધન થઈ ગયું.
કોરોનાની સારવાર માટે દાખલ કર્યા બાદ થઈ ગયું હતું બ્રેન હેમરેજ
સુનીલ બંસલના એક નજીકના વ્યક્તિએ જણાવ્યું કે તેમને પાછલા થોડા દિવસોથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરંતુ તેમના હાલતમાં કોઈ સુધાર ન હતો. સારવાર સમયે તેમને બ્રેન હેમરેજ પણ થઈ ગયું હતું. ત્યાર બાદ તેમણે છેલ્લા શ્વાસ લીધા. મહત્વનું છે કે પતંજલી આયુર્વેદ સંસ્થામાં કોરોનાથી પહેલી મોત સુનીલ બંસલની થઈ હતી. જોકે તેની કોઈ પુષ્ટી હજુ સુધી નથી થઈ કે તેમનું મોત કોરોનાના કારણે થયું કે બીજા કોઈ કારણોસર.
2018માં સુનીલે કાર્યભાર સંભાળ્યો હતો
સુનીલ બંસલે 2018માં પતંજલિ આયુર્વેદના ડેરી પ્રોડક્ટનો કાર્યભાર સંભાળ્યો હતો. આ તે સમય હતો જ્યારે પતંજલિ કંપનીએ ડેરી પ્રોડક્ટમાં પગ મુક્યો હતો. કંપની દૂધ, દહીં, છાંસ અને પનીર સહિત અન્ય ઉત્પાદનોને વેચવાની જાહેરાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સુનીલ બંસલે સંસ્થાને ડેરી પ્રોડક્ટ તૈયાર કરવાની સલાહ આપી હતી. જ્યાર બાદ પતંજલિ આયુર્વેદ સંસ્થાને તેને લોન્ચ કરવાનો નિર્ણય કર્યો હતો.