સુનિલ શેટ્ટીએ હાલમાં જ સલમાન ખાન સાથેના તેના સંબંધો વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે, સલમાન હંમેશા લોકોની મદદ માટે આગળ આવે છે. સલમાન સેટ પર પણ બધાને પૂછે છે કે તમે કેમ છો અને માટે જ લોકો તેને ભાઇ કહીને સંબોધે છે.
સુનીલ શેટ્ટીએ સલમાન માટે કહી વાતો
સલમાન ક્યારેય દેખાડો કરતો નથી
સલમાનને ભાઇ કહેવા પાછળ છે મોટુ કારણ
સુનીલે કહ્યું કે, સલમાન કેટલુ શાનદાર કામ કરે છે અને તે વિશેનો દેખાડો પણ નથી કરતા. તે લોકોને સપોર્ટ કરે છે અને જ્યારે હું કામ નહોતો કરતો ત્યારે પણ તેમણે મને મદદ કરી છે. સલમાને ઘણી વાર તેવું કર્યુ છે કે ફિલ્મને ના પાડીને કહે કે આમાં હું કામ નહી કરી શકુ પરંતુ તમે સુનિલને પૂછો તે ખરેખર ખૂબ સારુ કામ કરશે.
સુનીલે વધુમાં કહ્યું કે, હું હંમેશાથી કહેતો આવ્યો છું કે, સલમાનને ઇન્ડસ્ટ્રીમાં ખોટો સમજવામાં આવે છે અને આ વાત હું હાલ નથી કહી રહ્યો છેલ્લા 10 વર્ષથી હું આ વાત કહેતો આવ્યો છું. જો તમારે ઇન્ડસ્ટ્રીની હકીકત જાણવી છે તો પહેલા ડ્રેસમેન સાથે વાત કરો જે વેનીટીની અંદર જાય છે. પહેલા લાઇટમેનને પૂછો, ડાન્સર્સ, જુનિયર આર્ટિસ્ટ જેવા લોકોને પૂછો કારણે તે લોકો જ વધારે સમય અમારી આસપાસ રહેતા હોય છે. ત્યારે તમને હકીકત શું છે તે સમજાશે. આવા લોકોને તમે પૂછશો ત્યારે તમને ખબર પડશે કે સલમાનને ભાઇ કેમ કહેવામાં આવે છે.
શેટ્ટીએ આગળ કહ્યું કે, આ બધુ જે હું કહી રહ્યો છું તે ચમચાગીરી નથી. સલમાન એક એવો છોકરો છે જેનુ હ્રદય સોનાનુ છે. કેટલાક લોકોને તે હ્રદય દેખાય છે અને કેટલાકને નહી,
મહત્વનું છે કે, સુનિલને હાલમાં જ ભારત રત્ન ડૉ. આંબેજકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. સુનીલને આ પુરસ્કાર કોવિડ-19માં રાહત પ્રયાસો માટેના યોગદાન માટે આપવામાં આવ્યો છે, લૉકડાઉન દરમિયાન મહિલાઓ, પશુ કલ્યાણ અને મુંબઇના ડબ્બાવાળાઓની મદદ કરી હતી.