સુનીલ શેટ્ટીએ આમિર ખાન અને અક્ષય કુમારની ફિલ્મો 'લાલ સિંહ ચઢ્ઢા' અને 'રક્ષા બંધન'ના બૉયકોટ ટ્રેન્ડ પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે લોકોને ખાસ અપીલ કરી છે. અભિનેતાએ લોકોને ફિલ્મ ઉદ્યોગને બરબાદ ન કરવા કહ્યું છે.
સુનીલ શેટ્ટીની લોકોને ખાસ અપીલ
રક્ષાબંધન અને લાલ સિંહ ચડ્ઢાને લઈને કહી આ વાત
કહ્યું ઈનડસ્ટ્રીને બર્બાદ ના કરો.
સુનીલ શેટ્ટીએ આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા' અને અક્ષય કુમારની 'રક્ષા બંધન'ના બહિષ્કારના મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ટ્રેન્ડને અયોગ્ય ગણાવ્યું છે અને કહ્યું છે કે કલાકારોએ ફિલ્મો પર સખત મહેનત કરી છે અને તેમનો હેતુ સારો છે.
શું કહ્યું સુનીલ શેટ્ટીએ?
સુનીલ શેટ્ટીએ એક વાતચીતમાં કહ્યું કે આમિર ખાન ઈચ્છે તો એક વર્ષમાં પાંચ ફિલ્મો કરી શકે છે. પરંતુ તે પાંચ વર્ષમાં એક ફિલ્મ કરે છે. આ એવી વસ્તુ છે જેનો આદર કરવો જોઈએ. તેણે અક્ષય કુમારનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અભિનેતા સતત મનોરંજક ફિલ્મો આપી રહ્યો છે.
સુનીલ શેટ્ટીએ સોશિયલ મીડિયા પર ફિલ્મોના બહિષ્કારના ટ્રેન્ડ વિશે કહ્યું, 'એક એવી ઈન્ડસ્ટ્રીને નષ્ટ ન કરો જેમાં સારા લોકોની પોતાની એક વિરાસત રહી છે. એ લોકો કદાચ અમુક સ્તરે ભૂલો કરે છે, પણ શું આપણે માણસ નથી? હું એટલું જ કહી શકું છું કે તે વાજબી નથી. અમે ફક્ત પ્રાર્થના કરી શકીએ છીએ કે વધુ સારી સમજણ બની રહે અને આ ફરીથી આવું ન થાય. આ બંને ફિલ્મો સારું પ્રદર્શન કરે.
આમિર ખાન કરે છે દેશને પ્રેમ
આમિર ખાનની ફિલ્મ સામે બહિષ્કારનો ટ્રેન્ડ વધવા લાગ્યો હતો કારણ કે તેણે 2015માં દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા વિશે વાત કરી હતી. 'લાલ સિંહ ચઢ્ઢા'ના પ્રમોશન દરમિયાન આમિરે દર્શકોને વિનંતી કરી હતી કે તેઓ તેમની ફિલ્મનો બહિષ્કાર ન કરે. તેણે એમ પણ કહ્યું કે તે પોતાના દેશથી પ્રેમ કરે છે.
આમિર ખાને લોકોની માંગી હતી માફી
તેણે કહ્યું હતું કે, 'જો કેટલાક લોકોને એવું લાગે છે તો તે ખોટું છે. હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે એવું નથી, તેથી મારી ફિલ્મોનો બહિષ્કાર કરશો નહીં. કૃપા કરીને મારી ફિલ્મો જુઓ.' અન્ય પ્રમોશનલ ઇવેન્ટમાં, તેણે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી પણ માંગી.