ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સૈનિકો સાથે દિવાળી મનાવવા કારગીલ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ કારગીલમાં સશસ્ત્ર દળોના સભ્યો સાથે 'વંદે માતરમ' પણ ગાયું હતું. પીએમ મોદી સૈનિકો વચ્ચે તાળીઓ વગાડા પણ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.
વડાપ્રધાન મોદીએ સૈનિકે સાથે દિવાળી મનાવી
પીએમ દિવાળી મનાવવા કારગીલ પહોચ્યા
સેનાના જવાનો સાથે વડાપ્રધાને 'વંદેમાતરમ' પણ ગાયું
વડાપ્રધાને સૈનિકો વચ્ચે જઈ જવાનોનો ઉત્સાહ વધાર્યો
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીના તહેવાર પર સૈનિકો સાથે તહેવારની ઉજવણી કરવા કારગીલ પહોચ્યા છે. વડાપ્રધાન મોદીએ કારગીલમાં સશસ્ત્ર દળોના સભ્યો સાથે 'વંદે માતરમ' પણ ગાયું હતું. પીએમ મોદી સૈનિકો વચ્ચે તાળીઓ વગાડતા જોવા મળે છે. જ્યારે દેશના સૈનિકો સંગીતના સાધનો વડે વંદે માતરમ ગાતા અને નાચતા જોવા મળે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારગિલ ખાતે દિવાળીની ઉજવણીમાં હાજરી આપતા સશસ્ત્ર દળોએ 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય' ના નારા લગાવ્યા હતા. મોદીએ સશસ્ત્ર દળોના સભ્યો સાથે વંદે માતરમ પણ ગાયું હતું. પીએમ મોદી સૈનિકો વચ્ચે તાળીઓ વગાડતા જોવા મળે છે. જ્યારે દેશના સૈનિકો સંગીતના સાધનો વડે વંદે માતરમ ગાતા અને નાચતા જોવા મળે છે.
#WATCH | Prime Minister Narendra Modi participates in 'Vande Mataram' singalong with members of the Armed Forces, in Kargil pic.twitter.com/txvve7pN4u
#WATCH | 'Vande Mataram' & 'Bharat Mata Ki Jai' slogans chanted by members of the Armed Forces, as Prime Minister Narendra Modi joined them for #Diwali celebrations in Kargil pic.twitter.com/WvtM01PEbI
સેનાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે અને ક્યારેય યુધ્ધને પ્રથમ વિકલ્પ તરીકે જોયો નથી. લંકાનું યુધ્ધ હોય કે કુરુક્ષેત્રનું અને તેને સ્થગિત કરવાના પ્રયાસ કર્યો છે. અમે યુધ્ધની વિરુધ્ધ છીએ પરંતું તાકાત વિના શાંતિ થઈ શકે નહીં. જો કોઈ અમારી તરફ ખરાબ નજરથી જોવાની હિેમત કરશે તો અમારા સશસ્ત્ર દળો જડબાતોડ જવાબ આપશે.
#WATCH | We've never viewed war as first option...Be it the war in Lanka or Kurukshetra, we tried till last to postpone it. We're against war but peace can't be there without strength. If anyone dares to look at us with evil eyes, our armed forces will give a befitting reply: PM pic.twitter.com/pW4O79KpMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીના અવસર પર જવાનોને સંબોધિત કરતા કહ્યું કે કારગીલમાં આપણી સેનાએ આતંકના હુડની કચડી નાંખ્યો હતો અને દેશમાં જીતની એવી દિવાળી મનાવી હતી કે લોકો હજુ તેમને યાદ કરે છે. કારગીલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોઈ રાષ્ટ્ર ત્યારે અમર હોય છે જ્યારે તેના બાળકો તેના બહાદુર પુત્રો અને પુત્રીઓને પોતાની શક્તિમાં સંપૂર્ણ વિશ્વાસ હોય.