જ્યોતિષશાસ્ત્રમાં 27 નક્ષત્રોમાંથી 8માં નક્ષત્ર પુષ્યને નક્ષત્રોનો રાજા માનવામાં આવ્યો છે. આ નક્ષત્રના સ્વામી ગ્રહ શનિ છે જેણે સ્થાયિત્વનો કારક માનવામાં આવે છે અને ચન્દ્રમા જેણે ધન અને સુખથી સંબંધિત ગ્રહ માનવામાં આવે છે આ પુષ્ય નક્ષત્રના ચારેય ચરણોમાં પોતાની રાશિ કર્કમાં હોય છે. આ માટે પુષ્ય નક્ષત્રને ખૂબ જ શુખ અને સુખ પ્રદાન કરનારું માનવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રનું મહત્વ:
પુષ્ય નક્ષત્રનો આકાર ગાયના થન સમાન હોય છે જે તેની શુભતાનું પ્રમાણ છે. ભગવાન રામનો જન્મ પણ આ નક્ષત્રમાં થયો હતો જેથી તેણે ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગુરુવાર અને રવિવારના દિવસે પુષ્ય નક્ષત્ર હોય તો ત્યારે ગુરુ પુષ્ય અને રવિ પુષ્ય યોગ બને છે.
આ વખતે 20 મે રવિવારના દિવસે પુષ્ય નક્ષત્ર હોવાને કારણે રવિપુષ્ય યોગનો શુભ સંયોગ બની ગયો છે. આ યોગમાં જ્યોતિષશાસ્ત્રમાં ખરીદારી સોનું ખરીદવું વાહન ખરીદવા અને નવું કામ શરૂ કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે લોકો પ્રોપર્ટી ખરીદવા ઇચ્છે છે તેમના માટે આ યોગ ખૂબ જ શુભ રહેશે.
આ કરો રવિપુષ્ય યોગમાં :
રવિપુષ્ય યોગ વિશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે આ યોગમાં તંત્ર-મંત્રની સાધના કરવાથી સાધના સફળ થાય છે. બિમાર વ્યકિતઓની સારવાર આ યોગમાં શરૂ કરવાથી લાભ મળે છે. જન્મકુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી ના હોવા પર સૂર્યની પૂજા આ યોગમાં કરવાથી સૂર્યનો દોષ દૂર થાય છે.
રવિપુષ્ય યોગમાં લાભ લેવા માટે કરો આ ઉપાય:
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રવિપુષ્ય યોગમાં વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી પાપ કર્મોને પ્રભાવ ઓછો થઇ જાય છે.
આ યોગમાં લાલ ગાયને ગોળ અને ગળી રોટલી ખવડાવવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ જાય છે.
કોઇ પણ કાર્યની સિદ્ઘિ માટે રવિપુષ્ય યોગમાં ભગવાની સામે ઘીનો દીવો કરી પ્રાર્થના કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
તાંબાના વર્તનમાં લાલ ફૂલ દૂધ પાણી અને લાલ ચંદન તથા સિંદૂર નાખીને સૂર્યને પાણી આપ ચઢાવવાથી આરોગ્ય સુખ મળે છે અને દુશ્મનોનો ભય દૂર થાય છે.