દયા જલ્દી ગોકુલધામ આવશે તેવા સમાચાર લઈને સુંદર આવ્યો છે ગોકુલધામ, જાણો ક્યારે મળી રહ્યાં છે જેઠાલાલ અને દયા.
સુંદર અચાનક મુંબઈ આવી પહોંચ્યો
જેઠાલાલને નથી જણાવતો મુંબઈ આવવાનું કારણ
ઘણી આજીજી બાદ સુંદર મુંબઈ આવવાનું ફોડ પાડે છે
સુંદર આવી પહોંચ્યો ગોકુલધામ સોસાયટી
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં જેઠાલાલની ચિંતા વધારવા સુંદરલાલ ગોકુલધામ આવી પહોચ્યો છે. જ્યારે જેઠાલાલ સુંદરને ગોકુલધામ આવવાનું કારણ પુછે છે તો સુંદર અને તેનાં મિત્રો જેઠાલાલની વાતને ટાળીને ઘરમાં ગરબા રમે છે અને જેઠાલાલનાં પ્રશ્નને ટાળીને જેઠાલાલનેજ તેમનાં આવવાનુ અનુમાન લગાવવાનું કહે છે.
સુંદરની હાજરીએ જેઠાલાલને ચિંતામાં મુક્યો
હંમેશાની જેમ સુંદરની હાજરી જેઠાલાલને ચિંતામાં મુકી દે છે. પણ જેઠાલાલને એ નથી ખબર કે સુંદર આમ અચાનક ઘરે તેની બહેન દયાનો પત્ર લઈને આવ્યો છે. જેઠાલાલને લાગે છે કે આ વખતે ફરી પાછો સુંદર આર્થિક સંકડામણમાં આવી ગયો છે એટલે ગોકુલધામ આવ્યો છે. પણ સુંદર તેનાં ગોકુલધામ આવવાનું કારણ સ્પષ્ટ કરતા કહે છે કે તે કોઈ આર્થિક મુસિબતમાં નથી આવ્યો. પણ બીજી ક્ષણે જેઠાલાલને વિચાર આવે છે કે સુંદર કેમ તેનાં ઘરે આવ્યો છે.
સુંદરે જેઠાલાલને આપ્યો પત્ર
જેઠાલાલની ખૂબ આજીજી કર્યા બાદ સુંદર જેઠાલાલનાં હાથમાં એક પત્ર મુકે છે. જેઠાલાલા તે પત્ર વાંચીને ખૂબ ભાવુક બની જાય છે. જે પત્ર દયાએ સુંદરનાં હાથે મોકલાવ્યો છે અને તે પત્રમાં દયા વાયદો કરી રહી છે કે તે ખૂબ જલ્દી ઘરે પરત ફરશે.