બૉલીવુડ એક્ટર ઋતિક રોશનની બહેન સુનૈના રોશને સમગ્ર રોશન પરિવાર પર તાજેતરમાં ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે, પરિવારે મારી જીંદગીને નરક બનાવી દીધી છે. મારો એક મુસ્લિમ બોયફ્રેન્ડ છે, જેની સાથે હું લગ્ન કરવા ઇચ્છું છું. મેં જ્યારે આ વાત મારા પિતાને જણાવી ત્યારે તેમણે મને થપ્પડ મારી હતી. સુનૈના રોશને આ આરોપ બાદ બૉલીવુડની ગલીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
સુનૈના રોશનના બોયફ્રેન્ડ રુહેલ અમીને સમગ્ર વિવાદ મામલે ખુલીને વાત કરતા એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે, આજના ઉદારવાદી સમયના ઓળખાણની રાજનીતિના નબળા સાબિત થયેલ બિંદુઓને જાહેર કર્યા છે. જેના વિષયમાં માનવમાં આવે છે કે, જે ખત્મ થઇ રહ્યા છે.
આપને જણાવી દઇએ કે, સુનૈનાએ તાજેતરમાં એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, અત્યાર સુધી નર્કમાં રહેતી હતી અને તેના પરિવારે તેની જીંદગી સહન ન કરી શકાય તેવી બનાવી દીધી છે. આ સાથે જ તેણે કહ્યું કે, કંગના રનૌત તથા રંગોલી ચંદેલે તેને ન્યાય અપાવવામાં મદદ કરી છે.
રુહેલે લવ જેહાદ વાળા અંગલ પર કહ્યું કે, કોઇને ચરમપંથી બનાવવા આ મોટું દુર્ભાગ્યપણું છે. કારણ કે તે કોઇ ખાસ ધર્મમાંથી આવે છે. આ ખુબ જ અપમાનજનક છે અને તેની કડક શબ્દોમાં નિંદા થવી જોઇએ.
આપને જણાવી દઇએ કે, રુહેલ પોતે એક મીડિયાકર્મી છે અને તે કાશ્મીરી જર્નાલિસ્ટ છે. તે પહેલેથી જ પરણીત છે. રૂહેલ દિલ્હીમાં કોઇ ન્યૂઝ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરે છે.
રુહેલે વધુમાં જણાવ્યું હતું કે, અમારો સંપર્ક તૂટી ગયો હતો ત્યારબાદ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી પાછા મળ્યા. તેણે વધુમાં કહ્યું કે, તેમણે અમારી દોસ્તીનો સ્વીકાર ન કર્યો, મને એવું પણ જાણવા મળ્યું કે, તેણીના માતા-પિતાને અમારી દોસ્તી વિશે ખબર પડી ત્યારથી તેમણે સુનૈની આસપાસ એક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી. રુહેલે કહ્યું કે, કોઇની ઓળખાણ માત્રથી તેને આતંકવાદી કહી દેવો અસ્વીકાર્ય છે. ધર્મ અને નિવાસ સ્થાન ચરમપંથને પરિભાષિત કરનારી ચીજ નથી.