આગામી 16 નવેમ્બરે સૂર્યનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. આ દિવસે સવારે 7 વાગ્યાથી સૂર્ય વૃશ્વિક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનો વૃશ્વિક રાશિમાં પરિવર્તન કેટલીક રાશિઓના જાતકો માટે શુભ રહેશે તો ખાસ કરીને 2 રાશિઓ માટે નકારાત્મક પરિણામ આપનારું રહેશે. તો જાણો તમારું રાશિફળ.
16 નવેમ્બરે સૂર્યનું રાશિ પરિવર્તન થશે
સૂર્ય વૃશ્વિક રાશિમાં પ્રવેશ કરશે
2 રાશિઓ માટે નકારાત્મક પરિણામ આપશે
સૂર્ય સામાન્ય રીતે દરેક રાશિમાં 1 મહિનો રહે છે. તેને સૂર્ય સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્ય કોઈ રાશિમાં સારો પ્રભાવ આપે છે તો તે પ્રભાવમાં નોકરીમાં ઉન્નતિ, આત્મવિશ્વાસમાં વધારો, શાસક પક્ષને સફળતા મળે છે. મેષ, સિંહ, વૃશ્વિક, ધન રાશિના જાતકોએ માણેક પહેરવો લાભદાયી રહેશે. આ સિવાય મેષ રાશિના જાતકો માટે આ પરિવર્તન નકારાત્મક રહેશે તો ધન રાશિ માટે મિશ્રફળદાયી રહેશે.
આ 2 રાશિને માટે નકારાત્મક રહેશે સૂર્યનું રાશિ પરિવર્તન
મેષ
આ રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન નુકસાન કરશે. સૂર્યની સ્થિતિ પંચમેષ થઈને અષ્ટમ થવાથી સંતાનને લઈને ચિંતા વધશે. અભ્યાસમાં મુશ્કેલી અને મનોરંજનના સાધનોમાં ખોટ જોવા મળશે.
ધન
આ રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન મિશ્રફળદાયી રહેશે. નોકરીમાં સમસ્યા આવશે પણ તમે તેમાંથી સરળતાથી બહાર આવી શકશો. ભાગ્યનો સાથ હોવાથી અનેક સમસ્યાઓનું સમાધાન પણ મળશે. બહારની વ્યક્તિઓનો સાથ મળવાથી લાભ થશે.