15 માર્ચે રાશિ બદલશે સૂર્ય અને ખર માસ શરૂ થશે. જે 15 એપ્રિલ સુધી રહેશે. આ મહિનામાં કોઈ પણ પ્રકારના માંગલિક પ્રસંગો નથી કરવામાં આવતા.
15 માર્ચથી શરૂ થશે ખર માસ
જે 15 એપ્રિલ સુધી રહેશે
આ મહિનામાં નથી થતા માંગલિક પ્રસંગો
15 માર્ચએ સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ મીન માસ શરૂ થઈ જશે. જે 15 એપ્રિલ સુધી રહેશે. આ એક મહિનામાં કોઈ પણ પ્રકારના માંગલિક કામ નથી કરવામાં આવતા. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ સૂર્ય, બૃહસ્પતિની રાસિઓ ધન અને મીન રાશિમાં આવે છે ત્યારે ખરમાસ દોષ લાગે છે.
બુધવારે સવારે લગભગ 6.45 પર સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે આ એક મહિનામાં ભગવાનની આરાધનાનું ખાસ મહત્વ છે. ધર્મગ્રંથો અનુસાર આ મહિનામાં સૂર્યોદયથી પહેલા ઉઠીને સ્નાન અને ઉગતા સૂર્યને જળ ચડાવવાની પરંપરા છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ.
ભગવાનની ખાસ પૂજા
આ મહિને તીર્થ સ્થાનો, ઘરો અને મંદિરોમાં ભગવાનની કથા કરવી જોઈએ. ભગવાનની ખાસ પૂજા થવી જોઈએ. સાથે જ વ્રત-નિયમનું પાલન કરતા દાન, પુણ્ય અને ભગવાનની પૂજા કરવી જોઈએ.
ખર માસમાં કરો આ મંત્રોનો જાપ
ધર્મ ગ્રંથોમાં ભગવાન વિષ્ણુના ઘણા શ્લોક જણાવવામાં આવ્યા છે. જેનો જાપ ખર માસમાં કરવામાં આવે તો પુણ્ય મળે છે. મંત્ર જાપ કરતી વખતે વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. એવું ધ્યાન કરવું જોઈએ કે તે નવીન અને મેઘની સમાન શ્યામ છે. તે બે ભુજાધારી છે. પીળા વસ્ત્ર પહેરે છે અને વાંસળી વગાળે છે. એવા રૂપમાં ભગવાનનું ધ્યાન કરવું જોઈએ.
મંત્ર
ऊँ नमो भगवते वासुदेवाय
સ્નાન-દાન
મીન માસમાં સૂર્યોદય પહેલા ઉઠીને પાણીમાં ગંગાજળના ટીંપા નાખીને અને તલ મિક્સ કરીને નહાવો. પછી માથા પર ચંદનનો તિલક કરો. ત્યાર બાદ ઉગતા સુરજને અર્ધ્ય અર્પણ કરો. પછી દિવસમાં ગાયને ઘાસ ખવડાવો. ત્યાર બાજ જરૂરીયાત મંદ લોકોને ભોજન અને કપડાનું દાન કરવું જોઈએ.