પદ, પ્રતિષ્ઠા અને નિર્ણય ક્ષમતાનો કારક ગ્રહ સૂર્ય 16 જુલાઈએ રાશિ પરિવર્તન કરશે અને ગોચર સાંજે 4.41 મિનિટે થશે. 7 રાશિના લોકોને માટે સૂર્યનો ગોચર નકારાત્મક અસર આપશે.
સૂર્ય 16 જુલાઈએ રાશિ પરિવર્તન કરશે
એક મહિના સુધી રહેશે સૂર્યનો કર્ક રાશિમાં ગોચર
7 રાશિના જાતકોનું વધશે ટેન્શન
સૂર્ય 16 જુલાઈએ રાશિ પરિવર્તન કરશે અને ગોચર સાંજે 4.41 મિનિટે થશે. અને સાથે જ તે એક મહિના સુધી એટલે કે 17 ઓગસ્ટે રાતે 1.05 મિનિટ સુધી તે કર્ક રાશિમાં રહેશે. સૂર્યનો આ ગોચર મેષ, મિથુન, કર્ક, ધન, મકર, કુંભ, મીન રાશિને નકારાત્મક ફળ આપશે. સૂર્યનું રાશિ પરિવર્તન મનુષ્યના જીવન પર અનેક રીતે અસર કરે છે. તો જાણો રાશિ પરિવર્તનનો પ્રભાવ કઈ રાશિને નકારાત્મક અસર કરતો હોવાથી તેઓએ સાવધાન રહેવાની જરૂર છે.
મેષ
આ રાશિના લોકોને માટે સૂર્યનો ગોચર ચતુર્થ ભાવમાં થશે તેનાથી પરિવારના કામમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઘર પરિવારમાં વાદ વિવાદ બની શકે છે. સમાજમાં માન સમ્માન વધી શકે છે અને સાથે શિક્ષા કે પ્રતિયોગિતામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સરકારી નોકરી કરનારા માટે સારો સમય હોઈ શકે છે પણ સાથે હેલ્થનું ધ્યાન રાખવાનું જરૂરી બની જાય છે.
મિથુન
આ રાશિના લોકો માટે સૂર્યનો ગોચર બીજા ભાવમાં રહેશે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ મજબૂત હશે. સ્વસ્થ રહેવા માટે તમારે વ્યાયામ અને ખાનપાન પર ધ્યાન આપવું જરૂરી છે. વાણી પર સંયમ રાખવો અને સાથે અન્ય તકલીફોનો સામનો ન કરવો પડે કે તણાવ ન સર્જાય તેની કાળજી રાખવી. સરકારી નોકરિયાતને લાભ મળી શકે છે.
કર્ક
આ રાશિના લોકો માટે સૂર્યનો ગોચર પહેલા ભાવમાં બની રહ્યો છે. જેને લઈને તણાવની સ્થિતિ બની શકે છે. ઘર પરિવારમાં મનભેગગ સર્જાઈ શકે છે. નોકરી કરનારા માટે સમય થોડો સારો હોઈ શકે છે. વ્યાપારમાં લાભ મળે, નોકરીમાં પ્રમોશન મળે. આંખની બીમારીને લઈને સાવધાની રાખી લેવાનું ગ્રહો સૂચવી રહ્યા છે.
ધન
આ રાશિના લોકો માટે સૂર્યનો ગોચર 8મા ભાવમાં બનશે. જે સયમ તમારા માટે સારો રહેશે નહીં. અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમે સ્કીન અને વાળ સંબંધી મુશ્કેલીઓ અનુભવી શકો છો અને સાથે જ તમારા સંબંધો પર પણ તેની અસર જોવા મળી શકે છે. ક્રોધને કાબૂમાં રાખો અને સટ્ટાબાજીના કામમાં સફળતા મેળવો તેવી શક્યતા જોવા મળી રહી છે. નોકરીમાં ટ્રાન્સફરના યોગ પણ બની રહ્યા છે.
મકર
સૂર્યનો ગોચર તમારી રાશિ માટે 7મા ભાવમાં યોજાશે. વ્યાપારને લઈને પાર્ટનરશીપમાં એલર્ટ રહેવાની જરૂર છે નહીં તો મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે. પેટ્રોલિયમ કે ઉર્જા સાથે જોડાયેલા કામમાં સફળતા મળી શકે છે. આ સાથે વિવાહમાં મોડું થઈ શકે છે. પિતા પક્ષ તરફથી સમસ્યા આવી શકે છે. તણાવની સ્થિતિ પણ જોવા મળી શકે છે.
કુંભ
સૂર્યના ગોચરના 6ઠ્ઠા ભાવમાં હોવાથી તમારે જીવનસાથીની તબિયતની કાળજી લેવી પડે તે શક્ય છે. વૈવાહિક સંબંધોમાં ઝઘડા થઈ શકે છે. કોર્ટ કચેરીના કેસમાં સફળતા મળી શકે છે. આ સમયે ઈમ્યુનિટી મજબૂત બનશે અને નોકરીને લઈને કોઈ સારા સમાચાર મળી શકે છે.
મીન
સૂર્યનો ગોચર આ રાશિના લોકોને માટે 5મા ભાવમાં રહેશે. શિક્ષા પ્રતિયોગિતા માટે સફળતા મળવાના યોગ છે. વિદેશમાં જઈને શિક્ષા મેળવનારાને સફળતા મળી શકે છે. પ્રેમ સંબંધોમાં ખટાશ આવી શકે છે. બ્રેકઅપના યોગ છે.વાણી પર નિયંત્રણ રાખવાની સાથે વાદ વિવાદને ટાળવું જરૂરી છે. વ્યાપારમાં પણ નુકસાનની શક્યતા જોવા મળી રહી છે. કોઈ પણ પ્રકારના રૂપિયાના લેવડ દેવડથી બચો અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો તે જરૂરી છે.