વૈજ્ઞાનિકોએ સુર્યને લઇને એક નવી જાણકારી આપી છે. વૈજ્ઞાનિકોના મત પ્રમાણે સુરજ પણ લૉકડાઉનમાં ચાલ્યો ગયો છે. તેના કારણે ઠંડી, ભૂકંપ તથા દુકાળની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
કોરોના આફત વચ્ચે વધુ એક આફતે દીધી દસ્તક
હવે સુરજનું લૉકડાઉન શરૂ
વૈજ્ઞાનિકોએ આપી મોટી ચેતવણી
સૂર્યના લૉકડાઉનમાં જવાના પીરિયડને વૈજ્ઞાનિક સોલર મિનિમમ (Solar Minimum) તરીકે ઓળખવામાં આવે છે. આ સમય દરમિયાન, સૂર્યની સપાટી પરની પ્રવૃત્તિ આશ્ચર્યજનક રીતે ઓછી થાય છે. નિષ્ણાતો જણાવી રહ્યા છે કે આપણે તે તબક્કામાં જઈ રહ્યા છીએ, જ્યાં સૂર્યના કિરણોમાં ભયંકર મંદી આવશે. આ રેકોર્ડ-સ્તરની મંદી હશે, જેમાં સનસ્પોટ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે.
ગત સદીઓ કરતા ગંભીર ઘટના
ધ સનના એક રિપોર્ટ પ્રમાણે એસ્ટ્રોનોમર ડૉ ટોની ફિલીપ્સે જણાવ્યું હતું કે, આપણે સોલર મિનિમમની તરફ જઇ રહ્યા છીએ અને આ વખતે તે ખૂબ જ ગંભીર સાબિત થવાનું છે. તેમણે જણાવ્યું હતું કે, સનસ્પોટ જણાવી રહ્યા છે કે, ગત સદીઓની તુલનામાં આ સૌથી ગંભીર બાબત થવા જઇ રહી છે.
વીજળી પડવાની શક્યતાઓ વધે
આ દરમિયાન સુર્યનું મેગ્નેટિક ફિલ્ડ ખૂબ નબળું થઈ જાય છે. જેના કારણે સોલાર સિસ્ટમ વધારે પ્રભાવિત થાય છે. ટોની ફિલીપ્સે વધુમાં કહ્યું કે, વધારે પ્રમાણમાં કોસ્મિક રે એસ્ટ્રોનોટ્સન સ્વાસ્થ્ય માટે ખૂબ ખતરનાક છે. આ પૃથ્વીના ઉપરી વાતાવરણની ઇલેક્ટ્રો કેમિસ્ટ્રીને પ્રભાવિત કરે છે. તેના કારણે વીજળી પડવાની શક્યતાઓ વધી જાય છે.
1790થી 1830ની વચ્ચે બની હતી આવી ઘટના
નાસાના વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે કે, આ ડાલ્ટન મિનિમમ જેવું હોઇ શકે છે. ડાલ્ટન મિનિમમ 1790થી 1830ની વચ્ચે આવ્યું હતું. આ દરમિયાન ખૂબ જ ઠંડી પડી હતી, પાકને પણ મોટા પાયે નુકસાન થયું હતું અને દુકાળ તથા જ્વાળામુખી ફાટવાની પણ ઘટનાઓ બની હતી.
સમગ્ર વિશ્વમાં ખાદ્ય સંકટ ઘેરાયું
આ સમયગાળા દરમિયાન, 20 વર્ષમાં તાપમાન વધીને 2 સેલ્સિયસ સુધી વધી ગયું હતું અને તેના કારણે વિશ્વની સામે ખાદ્ય સંકટ સર્જાયું હતું. 10 એપ્રિલ 1815 ના રોજ 2000 વર્ષમાં બીજો સૌથી વધુ જ્વાળામુખી ફાટ્યા. ઇન્ડોનેશિયામાં આના કારણે લગભગ 71 હજાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. એ જ રીતે 1816 માં કોઈ ગરમી પડી નહોતી. આ વર્ષે 1800 જેટલા લોકો ઠંડીના મૃત્યુ પામ્યા. આ દરમિયાન જુલાઈ મહિનામાં બરફ પડ્યો હતો. આ વર્ષે સૂર્ય બ્લિંક રહ્યો છે અને આ સમય દરમિયાન 76 ટકા સમયમાં સૂર્યની જગ્યા જોવા મળી નથી. ગયા વર્ષે તે 77 ટકા હતું.