સુરતની સુમુલ ડેરી ફરી પોતાના વહીવટને લઇ વિવાદમાં સપડાઇ છે. સંચાલકોની બેદરકારીથી પશુપાલકોને ફટકો પડ્યો હોવાનો આરોપ લાગ્યો છે.ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક મળી છે.
સુરતના સુમુલના પૂર્વ ચેરમેન માનસિંહ પટેલના આક્ષેપનો મામલો
વર્તમાન ચેરમેન રાજૂ પાઠક પર પૂર્વ ચેરમેને લગાવ્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક મળી
સુરતના સુમુલના પૂર્વ ચેરમેન માનસિંહ પટેલે હાલના ચેરમેન રાજૂ પાઠક પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. એક હજાર કરોડની લોન, મધમાખી ઉછેર, ડિવાઇન ગીર ગાય સંવર્ધન પ્રોજેક્ટ, સરગવા સિંગ, દાણ પ્રોજેક્ટ, બેકરી પ્રોડક્ટ સહિતના પ્રોજેક્ટમાં કરોડોનું રોકાણ કરી ખોટ કરાવી હોવાના પૂર્વ ચેરમેને રાજૂ પાઠક પર આક્ષેપ કર્યા છે.
ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક મળી છે. ગણપત વસાવા, ઈશ્વર પરમાર, સી.આર.પાટીલ સહિતના નેતાઓની સર્કિટ હાઉસમાં બેઠક મળી. આ બેઠકમાં રાજૂ પાઠક અને માનસિંહ પટેલના જૂથના વિવાદમાં સમાધાન પ્રક્રિયા હાથ ધરાશે
સુમુલ ડેરીના પૂર્વ ચેરમેન માનસિંગ પટેલે મોટો આરોપ લગાવ્યો છે. સુમુલ ડેરીના સંચાલકોએ કૌભાંડ કરી પશુપાલકોને ભાવ ફેરના 2 કરોડ 17 લાખ ન ચૂકવ્યાં હોવાનો આરોપ લગાવ્યો છે. પશુ પાલકોને તત્કાલિક ભાવ ફેરની રકમ આપવાની માગ કરી છે.તો બીજી તરફ ડેરીના વર્તમાન ચેરમેને તમામ આક્ષેપ ફગાવ્યાં અને કહ્યું કે ડેરીની ચૂંટણીને લઇ ખોટા આક્ષેપ લગાવવામાં આવી રહ્યાં છે...તમામ આરોપ પાયા વિહોણા છે.
શું છે સમગ્ર મામલો?
સુમુલ ડેરીના પૂર્વ ચેરમેન માનસિંહ પટેલના ચેરમેન પર આક્ષેપ