ભારતનાં ઘણાં શહેરોમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું. જે કારણથી લોકો બીમાર છે.
વધતા તાપમાનથી થઈ જાઓ એલર્ટ
થઈ શકે છે 2 ગંભીર બીમારીઓ
બીમારીઓને ન કરો નજરઅંદાજ
ભારતનાં ઘણાં શહેરોમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે જેના કારણથી લોકો બીમાર પડી રહ્યા છે. એવામાં વાયરલ ફીવર અને ડાયેરિયાના કારણે ડિહાઈડ્રેશનની તકલીફો વધી રહી છે. તેની પાછળનું એક કારણ તાપના સંપર્કમાં આવવાના તરત બાદ જ ઠંડું પાણી પીનું પણ છે. વધતા તાપમાનમાં તમારા ખાવા-પીવાનું ધ્યાન રાખો. એવામાં લોકોએ ડાયેરિયા અને વાયરલ ફિવર બન્નેના લક્ષણો વિશે જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે.
આ બીમારીઓની ન કરો અવગણના
જ્યારે પણ તમને તમારા શરીરમાં વાયરલ તાવ અને ઝાડાનાં સંકેત મળવાનું શરૂ થાય, ત્યારે નજીકની હોસ્પિટલમાં ડૉક્ટરની સલાહ લેવી અને જરૂરી રિપોર્ટ કરાવી યોગ્ય સારવાર લેવી. આવો જાણીએ આ રોગોને કેવી રીતે ઓળખી શકાય.
ડાયેરિયાના લક્ષણો
- પેટમાં દુઃખાવો
- ઉબકા કે ઉલટી થવી
- પેટમાં આંટી વળવાનો અનુભવ થવો
- ભૂખ ન લાગવી
- માથાનો દુખાવો થવો
- તાવ આવવો
- સતત તરસ લાગવી
- મળમાં લોહી પડવું
- ડિહાઇડ્રેશનની સમસ્યા થવી
- દિવસમાં ઘણી બધી વખત શૌચક્રિયા માટે જવું