સુખવિંદર સિંહ એક ગીતના શૂટીંગને લઈને વિવાદોમાં ફસાયા હતા, જે બાદ ટ્રોલર્સના ટાર્ગેટ પર આવ્યા હતા, જો કે, તેમણે ટ્રોલર્સને સણસણતો જવાબ આપ્યો છે.
ખ્યાતનામ સિંગરે ટ્રોલર્સનો ઉધડો લીધો
ટ્રોલ કરનારા લોકોને આપ્યો આ જવાબ
ગીતને લઈને વિવાદ થતાં સ્પષ્ટતા કરી
'તૂ રમતા જોગી' , 'લાઈ વીની ગઈ', 'જિંદગી મેં કોઈ કભી આવે ન રબ્બા' જેવા હિટ ગીતો આપનારા સિંગર સુખવિંદર સિંહ પોતાના સુરીલા અવાજના કારણે લોકોના દિલો પર રાજ કરે છે. ટૂંક સમયમાં જ તે પોતાના ભક્તિ સંગીત વીડિયો હનુમાન ચાલીસામાં નજરે પડશે. જેનું શૂટીંગ દેશની આધ્યાત્મ નગરી કાશીના ચેતસિંહ કિલા પરિસરમાં ચાલી રહ્યું છે. આ શૂટીંગની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, તો સુખવિંદર સિંહ વિવાદોમાં ફસાઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર લોકોએ તેણે બરાબરનો ઝાટકી નાખ્યો હતો. જે બાદ તેણે આ મામલે સફાઈ આપી છે.
સુખવિંદર સિંહે પોતાના અપકમિંગ મ્યૂઝિક વીડિયો હનુમાન ચાલીસાના શૂટ દરમિયાન બૂટ પહેરેલા દેખાઈ છે. જે બાદ લોકોના ટાર્ગેટ પર તે આવી ગયો હતો. સુખવિંદર સિંહની સાથે કેટલાય અન્ય આર્ટિસ્ટે પણ બૂટ પહેરેલા જોવા મળ્યા હતા, જેને જોઈને લોકોની ભાવનાના ઠેસ પહોંચી હતી. અને કહ્યું કે, આ હિન્દુ ધર્મનું અપમાન છે.
સુખવિંદર સિંહે ટ્રોલિંગ થતાં સ્પષ્ટતા કરી
મામલો વધતો જોઈને સુખવિંદર સિંહે લોકોની સ્પષ્ટતા કરી હતી. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર તેમણે કહ્યું કે, જો આવું કરવાથી કોઈની ભાવના ઓછી થઈ જતી હોય તો, સાબિત કરીને દેખાડે, અમારો ઉદ્દેશ્ય કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નથી.
વારાણસીમાં થઈ રહ્યું છે શૂટીંગ
આપને જણાવી દઈએ કે, વારાણસીમાં ભક્તિ સંગીત વીડિયો શ્રી હનુમાન ચાલીસાનું શૂટીંગ કાશીના સંકટ મોચન મંદિર, નંદિશ્વર ઘાટ, ચેતસિંહ કિલા અને ઘાટ તથા દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતી જેવા સ્થાનો પર થઈ રહ્યું છે. સુખવિંદર સિંહ દ્વારા ગાવામાં આવેલી ભક્તિમય ગીત, ફાસ્ટ ફોરવર્ડ મ્યૂઝિકની દુનિયામાં ખૂબ જ ઉંડાણપૂર્વકનો અર્થ દર્શાવે છે.
રાજીવ ખંડેલવાલ કરી રહ્યા છે મ્યૂઝિક વીડિયોનું નિર્દેશન
મ્યૂઝિક વીડિયો ટ્રેકનું નિર્માણ પ્રવીણ શાહ, સગૂન વાધ, વાયરલ શાહ જીત વાધ અને ચિરાગ ભુવા દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે તેને રાજીવ ખંડેલવાલ દ્વારા નિર્દેશિત અને લોલીપોપ પ્રધાન દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યું છે.