સુખજિંદર સિંહ રંધાવા પંજાબના નવા મુખ્યમંત્રી બની શકે
સુખજિંદર સિંહ રંધાવા જેલ મંત્રી છે.
કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં નવા મુખ્યમંત્રી તરીકે જેલ મંત્રી સુખજિંદર સિંહ રંધાવાના નામનું સૂચન કરાયું હતું. સર્વ ધારાસભ્યો પણ તેમના નામ પર રાજી હતા, આ પછી તેમનું નામ હાઈકમાન્ડને આખરી મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યું હતું. ધારાસભ્યોની ઈચ્છાને માન આપીને હાઈકમાન્ડ પણ સુખજિંદર સિંહ રંધાવાના નામ પર ફાઈનલ મહોર મારી શકે છે.
Punjab political developments | After discussion with the Punjab MLAs, AICC has proposed the name of Sukhjinder Randhawa for the post of CM, a meeting is going on at the residence of Rahul Gandhi with Ambika Soni in Delhi: Sources
પંજાબ કોંગ્રેસ કમિટીએ રંધાવાનું નામ હાઈકમાન્ડને મોકલ્યું
પંજાબ કોંગ્રેસ કમિટીએ નવા મુખ્યમંત્રી તરીકે સુખજિંદર સિંહ રંધાવાનું નામ હાઈકમાન્ડને મોકલ્યું હતું. કોંગ્રેસ હાઈકમાન્ડે તેમના નામને લીલીઝંડી આપી દીધી હતી.
કોણ છે સુખજિંદર સિંહ રંધાવા
સુખજિંદર સિંહ રંધાવા હાલમાં કેપ્ટન અમરિન્દર સિંહ સરકારમાં જેલ મંત્રી છે. તેઓ 3 ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય છે તથા પંજાબ કોંગ્રેસના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમના પિતા પણ બે વાર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રહી ચૂક્યા છે. સુખજિંદર સિદ્ધુ છાવણીના દિગ્ગજ નેતા છે. તેઓ જાતિએ રંધાવા શીખ છે.
બે ડેપ્યુટી સીએમની પણ જાહેરાત
પંજાબ સરકારમાં બે ડેપ્યુટી સીએમ તરીકેની પણ જાહેરાત કરવામાં આવી છે. ડેપ્યુટી સીએમ તરીકે અરુણા ચોધરી અને ભરત ભૂષણ સાહુનું નામ નક્કી કરાયું છે.