પંજાબના જલાલાબાદમાં નગર કાઉન્સિલના ચૂંટણી પહેલા તણાવપૂર્ણ માહૌલ તૈયાર થઈ ગયો છે. અહીં અકાલી દળના ઉમેદવારની નોંધણી કરવવા પહોંચેલા નેતા સુખબીર બાદલ પર હુમલો થયો છે.
દળે કોંગ્રેસ પર નામાંકન પત્ર ભરતા રોકવાનો આરોપ લગાવ્યો
3 અકાલી વર્કરોને ગોળી વાગી છે
પત્થરમારા સમયે બાદલ ગાડીમાં હાજર નહોંતા
હુમલા દરમિયાન ગાડીને નુકશાન પહોંચાડવામાં આવ્યુ છે. સાથે ઉપદ્રવિઓ તરફથીઅકાલી દળના કાર્યકર્તાઓ પર ગોળી ચલાવવામાં આવી હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. આ ઘટના બાદઅકાલી દળ અને કોંગ્રેસ કાર્યકર્તાઓની વચ્ચે અથડામળ થઈ છે.
#WATCH | Shiromani Akali Dal (SAD) president Sukhbir Singh Badal's vehicle attacked in Jalalabad, Punjab.
જલાલાબાદમાં આજે નગર કાઉન્સેલિંગની ચૂંટણીમાંઅકાલી દળના ઉમેદવારની નામાંકન પ્રક્રિયા થવાની હતી. આ સંબંધમાં દળ પ્રમુખ સુખબીર બાદલ પણ સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમના પર હુમલો થયો હતો.અકાલી દળે કોંગ્રેસ પર હુમલાનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબઅકાલી દળ અને કોંગ્રેસના કાર્યકર્તાઓની વચ્ચે થયેવા ઝઘડામાં પત્થરબાજી થઈ અને ગોળીઓ પણ ચાલી છે. સમાચાર છે કે 3અકાલી વર્કરોને ગોળી વાગી છે.
દળે કોંગ્રેસ પર નામાંકન પત્ર ભરતા રોકવાનો આરોપ લગાવ્યો
ભીડે બાદલની ગાડી પર હુમલો કર્યો છે. જો કે પત્થરમારા સમયે બાદલ ગાડીમાં હાજર નહોંતા. તેમને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. આ દરમિયાન 2અકાલી દળના સભ્યો ઘાયલ થયા છે. દળે કોંગ્રેસ પર નામાંકન પત્ર ભરતા રોકવાનો આરોપ લગાવ્યો છે.અકાલી દળનું કહેવું છે કે કોંગ્રેસ અમને નામાંકન કરતા રોકવા માંગતી હતી. એટલા માટે હુમલો કરાવ્યો છે.