કેન્દ્ર સરકાર દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સુકન્યા સમૃદ્ધી યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાનો જે લોકો ફાયદો ઉઠાવવા લાગ્યાં છે, એવા એકાઉન્ટ હોલ્ડર્સને આ યોજના દ્વારા બેંકોમાં જમા કરાયેલા રૂપિયા પર આવકમાં છૂટછાટ આપવામાં આવે છે. આ જ રીતે દેશની મુખ્ય સરકારી બેંક પંજાબ નેશનલ બેંક પણ આપે છે.
કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધી યોજનાનો ઉઠાવો લાભ
ખાતુ ખોલાવવા માટે ઓછામાં ઓછા 250 રૂપિયા ભરવા પડશે
યોજનામાં તમે દર વર્ષે 1,50,000 રૂપિયાનું કરી શકશો રોકાણ
કેવીરીતે મળશે પીએનબીની આ યોજનામાં ફાયદાઓ?
PNBએ દરેક ગ્રાહકોને જણાવ્યું કે, આ એકાઉન્ટને કોઈ પણ નજીકની બ્રાન્ચમાં ખોલાવી શકો છો. પરંતુ કેવીરીતે અને શું મળશે પીએનબીની આ યોજનામાં ફાયદાઓ.. જો તમે તમારી દીકરી માટે સુકન્યા સમૃદ્ધી યોજનાનો ફાયદો ઉઠાવવા ઈચ્છો છો તો તમારે ખાતુ ખોલાવવા માટે ઓછામાં ઓછા 250 રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરાવવુ પડશે. આ સિવાય તમે તેમાં દર વર્ષે 1,50,000 રૂપિયા સુધી વધુ ઈન્વેસ્ટ કરી શકો છો. આ ખાતુ 10 વર્ષથી ઓછી ઉંમરની વધુમાં વધુ બે દીકરીઓ માટે ખોલી શકાય છે. જેમાં રોકાણ કરવાથી ઈન્કમટેક્ષ એક્ટની કલમ 80C હેઠળ ટેક્સમાં છૂટછાટનો પણ લાભ મળે છે.
નાની બચત યોજનાઓમાંથી એક
અત્યારે સુકન્યા સમૃદ્ધી યોજના પર વાર્ષિક વ્યાજ દર 7.6 ટકા છે. કેન્દ્ર સરકાર દર ત્રણ મહિને દરેક નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં સંશોધન કરે છે. જેમાં એસએસવાઈ પણ સામેલ છે. અહીં જણાવવાનું કે, આ તેની એક નાની બચત યોજનાઓમાંથી એક છે, જેના પર અત્યારે સૌથી વધુ વ્યાજ મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ખાતુ PNBની કોઈ પણ બ્રાન્ચમાં ઓપન કરાવી શકશો. પોસ્ટ ઓફિસ અને કોમર્શિયલ બેંકની દરેક બ્રાન્ચમાં તમને SSYની સુવિધા મળે છે.
કેટલા પુરાવા જોઈશે?
Sukanya Samriddhi Yojana હેઠળ PNBની સાથે-સાથે કોઈ પણ કોમર્શિયલ બેંકની બ્રાન્ચ અથવા પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવવા માટે તમારે એક ફોર્મની સાથે-સાથે પોતાની દીકરીનું બર્થ-સર્ટીફિકેટ પણ જમા કરાવવુ પડશે. આ ઉપરાંત બાળકના માતા-પિતા અથવા માતા-પિતાનું ઓળખ પત્ર અને કાયમી એડ્રેસ પ્રુફ હોવુ જોઈએ. ઓળખ કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ વગેરે હોવા જોઈએ. તો કાયમી સરનામાના પુરાવા તરીકે વિજળી બિલ, ટેલિફોન બિલ, પાણીનું બિલ, રહેઠાણનું પ્રમાણ પત્ર વગેરે હોવુ જોઈએ. તમારે આ બાબતનું પણ ધ્યાન રાખવુ પડશે કે સુકન્યા સમૃદ્ધી યોજના હેઠળ ખાતુ ખોલ્યા બાદ દર વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવા જરૂરી છે.