જો આપે પણ આપની દિકરી માટે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવ્યું છે, તો આ આપના માટે અત્યંત જરૂરી સમાચાર છે.
સરકારની અતિ લોકપ્રિય યોજના માટે આવી મોટી અપડેટ
જોઈ લો નવા નાણાકીય વર્ષમાં શું થયા છે ફેરફાર
દિકરીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટેનો શાનદાર રસ્તો
જો આપે પણ આપની દિકરી માટે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવ્યું છે, તો આ આપના માટે અત્યંત જરૂરી સમાચાર છે. સરકારે નાની બચત યોજના માટે ખાસ જાહેરાત કરી છે. કાલથી નવું નાણાકીય થયું છે, તો અહીં જાણી લો કે, આ ત્રિમાસિક ખાતાધારકો માટે કેટલુ વ્યાજ મળશે.
વ્યાજદરોમાં નથી થયો ફેરફાર
આપને જણાવી દઈએ કે, નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં સરકારે આ વખતે કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે, એપ્રિલ જૂન ત્રિમાસિકમાં પણ ગ્રાહકોને જૂના દરના જ વ્યાજ મળશે.
ફક્ત 15 વર્ષ સુધી જમા કરવાના હોય છે પૈસા
આ સ્કીમની સારી વાત એ છે કે, આપને પુરા 21 વર્ષ સુધી પૈસા જમા કરાવાના નથી, અકાઉંટ ખોલવાથી લઈને 15 વર્ષ સુધી પૈસા જમા કરી શકાય છે. જ્યારે દિકરી 21 વર્ષની ઉંમર સુધી પહોંચે છે, ત્યાં સુધી તેને વ્યાજ મળતું રહે છે.
કેટલુ મળી રહ્યું છે વ્યાજ
આ સમયે સરકારે આ સ્કીમ પર ખાતાધારકોને 7.6 ટકાના દરથી કંપાઉંડીગ વ્યાજનો ફાયદો આપી રહી છે. આ સ્કીમના વ્યાજદરોને સરકાર 3 મહિના બાદ રિવાઈઝ કરતી રહે છે.
250 રૂપિયાનું કરવાનું હોય છે રોકાણ
આપને જણાવી દઈએ કે, આ યોજનામાં આપે ફક્ત 250 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે અને આપ વધારેમાં વધારે 150,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. કેન્દ્ર સરકારની આ અતિ લોકપ્રિય સ્કીમ છે. જેના દ્વારા આપ આપની દિકરી માટે 15 લાખ સુધીનું ફંડ તૈયાર કરી શકો છો.
પોસ્ટ ઓફિસ અથવા બેંક દ્વારા ખોલાવી શકો છો ખાતું
આ યોજનામાં આપ આપની દિકરી માટે ખાતુ ખોલાવી શકો છો. આપ પોસ્ટ ઓફિસ અથવા તો કોઈ પણ બેંકમાં પણ જઈને ખાતુ ખોલાવી શકો છો .તેના માટે આપે ફક્ત જન્મનું પ્રમાણપત્ર જમા કરાવાનું હોય છે. સાથે જ બાળકી અને તેના માતા-પિતાનું ઓળખાણ પત્ર પણ જમા કરવાનું હોય છે.
કેવી રીતે મળશે 15 લાખ
આ સરકારી સ્કીમમાં જો આપ દર મહિને ફક્ત 3000 રૂપિયા જમા કરાવશો એટલે કે, વાર્ષિક 36,000 રૂપિયા તો આપને તેના પર 7.6 ટકાના હિસાબે વ્યાજ મળશે. આવી રીતે 21 વર્ષે એટલે કે, મેચ્યોરિટી પર આ રકમ લગભગ 15,22, 221 રૂપિયા થઈ જશે.