દેશમાં દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Scheme 2020) કામની છે. જો તમે આ યોજનામાં રોકાણ કરો છો તો તમારી દીકરી લગ્નને લાયક થશે ત્યારે તે ખર્ચ અને તેના ઉચ્ચ શિક્ષાના ખર્ચને માટે તમારે ચિંતા રહેશે નહીં. આ સ્કીમ તમને ગેરેંટેડ ફાયદો આપે છે. આ સ્કીમમાં 15 વર્ષ સુધી રોકાણ કરીને તમે 21 વર્ષે દીકરી માટે 64 લાખ રૂપિયા જમા કરી શકો છો.
દીકરીઓના ભવિષ્યને આજથી કરો સુરક્ષિત
સુકન્યા સમૃદ્ધિ યોજના સ્કીમ આપે છે ફાયદો
ગેરેન્ટેડ ફાયદા સાથે દીકરીના 21મા વર્ષે મળશે 64 લાખ રૂપિયા
આ છે યોજના
- સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટમાં પુત્રીના નામથી એક વર્ષમાં 1 હજારથી લઈને 1 લાખ પચાસ હજાર રૂપિયા જમા કરાવી શકો છો.
- આ પૈસા એકાઉન્ટ ખોલવાના 14 વર્ષ સુધી જ જમા કરાવવા પડશે અને આ ખાતું પુત્રીના 21 વર્ષના થવા પર જ મેચ્યોર થશે.
- યોજનાના નિયમો હેઠળ પુત્રી 18 વર્ષની થતા અડધો પૈસો કાઢી શકો છો.
- 21 વર્ષ પછી એકાઉન્ટ બંધ થઈ જશે અને રૂપિયા નોમિનીને મળી જશે.
- જો પુત્રીના 18થી 21 વર્ષની વચ્ચે લગ્ન થઈ જાય છે તો એકાઉન્ટ એ સમયે જ બંધ થઈ જશે.
- એકાઉન્ટમાં જો પેમેન્ટ લેટ થયુ તો ફક્ત 50 રૂપિયાની પેનલ્ટી લગાવવામાં આવશે.
- પોસ્ટ ઓફિસ ઉપરાંત અનેક સરકારી અને ખાનગી બેંક પણ આ યોજના હેઠળ ખાતુ ખોલી રહી છે.
- સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા પર ઈન્કમટેક્સ કાયદાની ધારા 80-જી હેઠળ છૂટ આપવામાં આવશે.
- પાલક પોતાની બે પુત્રીઓ માટે બે એકાઉન્ટ પણ ખોલી શકે છે.
- જોડિયા બાળકો હોય તો તેનુ પ્રૂફ આપીને જ પાલક ત્રીજુ ખાતું ખોલી શકશે. પાલક ખાતાને ક્યાય પણ ટ્રાંસફર કરાવી શકશે.
યોજના હેઠળ 2015માં કોઈ વ્યક્તિ 1000 રૂપિયા મહિનાથી એકાઉન્ટ ખોલે છે તો તેને 14 વર્ષ સુધી એટલે કે 2028 સુધી દર વર્ષે 12 હજાર રૂપિયા ભરવા પડશે. એટલે કે અત્યારે ચાલી રહેલી સિસ્ટમ અનુસાર દર વર્ષે 8.6 ટકા વ્યાજ મળતુ રહેશે તો જ્યારે બાળકી 21 વર્ષની થશે તો તેને 6,07,128 રૂપિયા મળશે. ઉલ્લેખનીય છે કે 14 વર્ષમાં પાલકના એકાઉંટમાં કુલ 1.68 લાખ રૂપિયા જમા કરવા પડે. બાકીના 4,39,128 રૂપિયા વ્યાજના છે.
નવા નિયમના આધારે બાળકીનું મોત થવું કે સહાનુભૂતિના આધારે એકાઉન્ટને મેચ્યોરિટી સમયથી પહેલાં બંધ થયું છે. અહીં સહાનુભૂતિનું તાત્પર્ય થયું છે કોઈ જીવલેણ બીમારીનો ઉપાય કે અભિભાવુકના મોત સાથે છે. એવી સ્થિતિમાં રૂપિયાની જરૂર પૂરી કરવા માટે મેચ્યોરિટીથી પહેલાં પણ એકાઉન્ટ બંધ કરી શકાય છે. આ પહેલાં સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટને મેચ્યોરિટી પહેલાં બંધ કરી શકાતું હતું, જ્યારે એકાઉન્ટ હોલ્ડરનું મોત થતું કે તેમનું રહેણાંક બદલાઈ જતું.