દીકરી સાંપનો ભારો નહી પરંતુ વહાલનો દરિયો હોય છે આ કહેવતને સાચી ઠેરવવા દીકરીઓ માટે કેન્દ્ર સરકારની આ યોજના વરદાન રૂપ છે જેનુ નામ છે ” સુકન્યા સમૃધ્ધિ યોજના ” . દીકરીઓ માટે બચતનો એક સરળ રસ્તો છે. તો આવો જાણીએ કોણ, ક્યાં અને કેવી રીતે લઈ શકે છે આ યોજનાનો લાભ.
2015માં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ થઈ
બૅન્ક કે પોસ્ટ ઑફિસમાં દીકરીના નામે ખાતું ખોલાવી શકો છો
કેવી રીતે ખોલશો ખાતું?
દીકરી સાંપનો ભારો નહી પરંતુ વહાલનો દરિયો હોય છે. આને ખરા અર્થમાં સાર્થક ઠેરવવા કેન્દ્ર સરકારે કમર કસી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાનને સમર્થન આપવા માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં મુકી છે. જે દીકરીઓ માટે ભેટ સમાન સાબિત થશે. આ યોજનમાં માતા પિતા ઉપર કન્યાના લગ્ન અને તેના ભણતરનો ભાર હળવો કરવામાં સરકારની સુકન્યા સમૃધ્ધિ યોજના છે. અને અન્ય દીકરીવાળા પરિવારોને આ યોજનાનો લાભો વિષે માહિતગાર કરી રહ્યાં છે.
25 ફેબ્રુઆરી 2015થી શુભ શરૂઆત
સુકન્યા સમૃદ્ધિ યોજનાને લોકો ઠેર ઠેર આવકાર આપી રહ્યા છે. 25મી ફેબુઆરીથી ભારતભરની પોસ્ટ ઓફિસમાં શરુ થયેલી આ યોજના કન્યાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા ખુબ ઉપયોગી સાબિત થાય તેમ છે.
2015માં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ થઈ
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ટૅક્સની છૂટ પણ મળે છે. દીકરી ઘરની લક્ષ્મી છે. શક્તિસ્વરૂપ છે. દીકરીના ભણતર અને તેના લગ્નની ચિંતાથી તમે મુક્ત થઈ શકો તે માટે મોદી સરકાર દરેક કદમ પર તમારી સાથે છે. દીકરી માટે પૈસાની ચિંતાને દૂર કરવા માટે મોદી સરકારે શરૂ કરી છે સુકન્યા સમૃદ્ધિ યોજના. દેશની દીકરીઓ આત્મનિર્ભર બને અને ઉન્નતિ કરે તે માટે બેટી બચાવો-બેટી પઢાઓ કૅમ્પેનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી, 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી.
બૅન્ક કે પોસ્ટ ઑફિસમાં દીકરીના નામે ખાતું ખોલાવી શકો છો
હવે દેશની દરેક બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બન્યું છે. દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એક અકાઉન્ટ ખોલવામાં આવે છે. આ અકાઉન્ટ ખોલાવવું એકદમ સરળ છે. સામાન્ય રીતે PPF અકાઉન્ટ ખુલે છે, ત્યાં એટલે કે બૅન્ક કે પોસ્ટ ઑફિસમાં દીકરીના નામે ખાતું ખોલાવી શકો છો. આ યોજના બાળકીઓના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે બનાવવામાં આવી છે. જેનાથી તેમનું પૂરું શિક્ષણ અને 18 વર્ષની થાય ત્યારે લગ્નના ખર્ચની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે છે. આ યોજનાં બાળકીઓ અને તેમના માતા-પિતાને નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવા માટે લાગુ કરવામાં આવી છે. જેમાં ઓછા રોકાણે વધુ વ્યાજ દરની વ્યવસ્થા કરવામાં આવી છે.
શું છે ખાસિયત ?
દર વર્ષે ઓછામાં ઓછા 250 અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરાવી શકો છો.
જમા રકમ પર વાર્ષિક ૯.3 ટકા હિસાબે વ્યાજ મળે છે.
નવા નિયમ પ્રમાણે દીકરીના લગ્ન પર 100 ટકા રકમ ઉપાડી શકાય છે.
જમા રકમ પર 80-સી હેઠળ ટૅક્સની છૂટ મળે છે.
દીકરી 21 વર્ષની થાય પછી વ્યાજ નહીં મળે.
કેવી રીતે ખોલશો ખાતું?
તમે તમારા નજીકના પોસ્ટઓફિસમાં જાવ અને ત્યાં જઇને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ ભરો. તે સિવાય તમે ઇન્ટરનેટ કે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. દીકરીનો ફોટોગ્રાફ લવાગીને ફોર્મ ભરો અને તેને પોસ્ટ ઓફિસમાં જમા કરાવો. બની શકે કે અમુક આંતરિળાય પોસ્ટ ઓફિસના અધિકારી તમને આવી કોઇ સ્કીમ નથી તેવું પણ કહે. તો થોડી રાહ જુઓ આ યોજનાને ત્યાં પહોંચવા દો.
ફોર્મ ભરી તેની પર યોગ્ય હસ્તાક્ષર કરો
પોતાનું આઇ ડી અને એડ્રેસ પ્રુફની ફોટોકોપી અટેચ કરો દિકરીનું જન્મ પ્રમાણ પત્રની કોપી પણ જોડો.
પોતાના અને પોતાની પુત્રીના બે-બે પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવો.
તમે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાને બેંકમાં પણ ખોલી શકો છો.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માં જોડાઇ શકવાની યોગ્યતા.
મહત્વની વાત
આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું 1 હજાર અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો.
તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો.
આ યોજના પીપીએફ યોજના જેવી છે. એટલું જ નહીં આ યોજના પીપીએફ કરતા વધુ વ્યાજ આપે છે.
જો તમે કોઇ વર્ષે પૈસા જમા કરાવાનું ભૂલી જશો. તો તમારે 50 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.
જો તમે દિકરીનાં 18 વર્ષે લગ્ન કરાવા માંગતા હોવ તો તમે પ્રી-મેચ્યોર ફેસિલિટી હેઠળ નાણાં નીકાળી શકશો.
જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો. પણ જો બે થી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર 2 જ એકાઉન્ટ ખોલી શકો.આમાં પૈસા જમા કરવાની ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.
કોને લાગુ પડે?.
માતા પિતા કે ગાર્ડિયન કન્યા માટે ” સુકન્યા સમૃધ્ધિ યોજના ” અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં 2-12-2003ના રોજ અથવા ત્યાર બાદ જન્મેલી કન્યાનું ખાતું ખોલાવી શકાય છે. અને માતા અને પિતા ગાર્ડિયન તરીકે ખાતું ખોલાવી શકે છે. અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા નિમાયેલા ગાર્ડિયન ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ એક કુટુંબ માંથી વધુ માં વધુ બે કન્યાઓનું ખાતું ખોલાવી શકાય છે. અને ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખાતું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં રૂપિયા 100ના ગુણાંકમાં વધુ માં વધુ 1 લાખ 50 હજાર જમા કરાવી શકાય છે તેમ નાનપુરા પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેડન્ટ આર એમ પટેલે જણાવ્યું હતું.
આ યોજનામાં આવ્યા છે ફેરફાર
કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના સામાન્ય માણસોમાં ખાસ છે. દીકરીઓ માટે સરકારની આ લોકપ્રિય સ્કીમ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલાક ફેરેફાર આવ્યા છે. તમે પણ જાણી લો આ નવા નિયમો અને સાથે જ કરી લો તમારા પ્લાનમાં ફેરફાર પ 1 એકાઉન્ટ ડિફોલ્ટ થવા પર નહીં બદલાય વ્યાજ દર
સ્કીમ અનુસાર દર વર્ષે તેમાં 250 રૂપિયા જમા કરવા જરૂરી છે. જો તે જમા નહીં થાય તો તે ડિફોલ્ટ એકાઉન્ટ ગણાશે. નવા નિયમ અનુસાર ખાતાને ફરી એક્ટિવ નહીં કરી શકાય. સુકન્યા સમૃદ્ધિ યોજના પર 7.6 ટકા વ્યાજ મળે છે. પોસ્ટ ઓફિસમાં વ્યાજનો દરપ બચત ખાતા માટે 4 ટકાનો છે.
2. કરી શકાશે સમય પહેલાં ખાતું બંધ
સ્કીમના નવા નિયમ અનુસાર દીકરીના મોતની સ્થિતિમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાને સમય પહેલાં બંધ કરવાની પરમિશન આપવામાં આવી છે. જૂના નિયમમાં ખાતાને 2 સ્થિતિમાં બંધ કરી શકાતું. એક તો દીકરીના મૃત્યુ અને બીજું તેના રહેવાનું એડ્રેસ બદલાય તેવી સ્થિતિમાં.
3. 2થી વધારે દીકરી માટે ખાતું ખોલવાનો નિયમ
સ્કીમના આધારે 2 જીકરીથી વધારે માટે ખાતું ખોલાવી શકાય છે. એક બેટીના જન્મ બાદ જુડવા દીકરીઓ જન્મે તો પણ તેના માટે ખાતું ખોલાવી શકાય છે. નવા નિયમ અનુસાર 2થી વધારે દીકરીઓ માટે ખાતું ખોલવા માટે જન્મ પ્રમાણપત્રની સાથે એફિડેવિટ જમા કરાવવાનું રહેશે.
4. ખાતું ઓપરેટ કરવાનો નિયમ
નવા નિયમમાં જ્યાં સુધી દીકરી 18 વર્ષની નહીં થાય ત્યાં સુધી તેને ખાતું ઓપરેટ કરવાની મંજૂરી મળશે નહીં. જૂના નિયમમાં તેને 10 વર્ષમાં આ માટેની મંજૂરી મળી હતી. હવે ખાતાધારક 18 વર્ષ પછી જ તેને ઓપરેટ કરી શકશે. આ સમયે 18 વર્ષે બેંક કે પોસ્ટઓફિસમાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે.
5. આ છે અન્ય ફેરફાર
નવા નિયમમાં ખાતામાં ખોટું ઈન્ટરેસ્ટ નાંખવા પર તેને બદલવાની સુવિધા હટાવી દેવાઈ છે. તેને સિવાય નવા નિયમોના આધારે ખાતામાં વ્યાજ નાણાંકીય વર્ષના અંતમાં ક્રેડિટ કરાશે.
નવું ખાતું ખોલવવા માટે આ ડોક્યુમેન્ટ્સની રહેશે જરૂર
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકાઉન્ટ ખોલવાનું ફોર્મ
બાળકનું જન્મનું પ્રમાણપત્ર
જમાકર્તાના ઓળખપત્ર જેમકે પાનકાર્ડ, રાશન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, લાઈટબિલ, ફોન બિલ વગેરે
નેટ બેંકિંગનો રૂપિયા જમા કરાવવા કરી શકાશે ઉપયોગ
ખાતું ખોલાવતી સમયે અપાશે પાસબુક