મહેસાણા: વડનગરના શેખપુરમાં મધ્યાહન ભોજનના સંચાલકે આપઘાત કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. શિક્ષકોના ત્રાસથી આપઘાત કર્યું હોવાનું સ્યુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતોનુસાર વડનગરમાં રહેતા મહેશ ભીખાભાઇ ચૌહાણ શેખપુર ગામની પ્રાથમિક શાળામાં 20 વર્ષથી મધ્યાહન ભોજન સંચાલક તરીકે નોકરી કરતાં હતા. પરંતુ શાળાના ત્રણ શિક્ષકો ચા-નાસ્તાનો ખર્ચ માંગીને ઓછી સંખ્યા બતાવીને માનસિક હેરાન કરતા હતા. બીજી બાજુ મહેશ ભાઇની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ ટેન્શનમાં રહેતા હતા. ત્યારે મંગળવારે સાંજે વડનગરના એક કૂવામાં પડીને આપઘાત કરી લીધો હતો. ત્યાર બાદ સંચાલકના પરિવારજનોએ માંગણીઓ નહી સ્વીકારે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હતી.
જો કે આ મામલે જીલ્લા કલેક્ટરે સંચાલકના પરિવારજનાની મુલાકાત કરીને બાંહેધરી આપી હતી. ઘટના સંદર્ભે ઝડપથી કાર્યવાહી કરવાની જિલ્લા કલેક્ટરે બાંહેધારી આપી હતી. મૃતકના પરિવારને સહાય આપવા માટે સરકારમાં રજૂઆત પણ કરાશે અને મૃતકની પત્નીને નોકરી આપવા માટે પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે પરિવારજનોની માંગણીઓ સ્વીકારાતા મૃતકોના પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો છે અને મોડી રાત્રે પરિવારજનો દ્વારા અંતિમવિધી કરવામાં આવી હતી.
મહત્વનુ છે કે સંચાલકે 3 શિક્ષકોના ત્રાસથી આપઘાત કર્યુ હોય તેવુ સામે આવ્યુ હતુ.. ત્યાર બાદ સંચાલકના પરિવારજનોએ માંગણીઓ નહી સ્વીકારે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હતી.. ત્યારે હવે તેમની માંગણીઓ સ્વીકારાતા મૃતદેહનો સ્વીકાર કર્યો હતો..