સાસરીયાઓના ત્રાસથી કંટાળીને એક બહેને રક્ષાબંધનના તહેવારની પહેલા જ જીવન ટૂંકાવી લીધુ છે, આપઘાત અગાઉ ભાઈ સાથે કરેલી ફોન પરની વાતચીતનો ઓડિયો થયો વાઈરલ
આણંદમાં ભાઈ સાથે ફોન પર વાત કરીને બહેનનો આપઘાત
થામણાની પરિણીતાએ ગળેફાંસો લગાવીને કર્યો આપઘાત
સાસરિયાના ત્રાસથી પરિણીતાએ ટૂંકાવ્યુ જીવન
આણંદમાં રક્ષાબંધનના મહાન પર્વ પહેલા એક બહેનના આપઘાતના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ ફેલાયું છે. બહેને આપઘાત પહેલા પોતાના ભાઈ સાથે ફોન પર વાત કરી હતી. આણંદના થામણાની પરિણીતાએ ગળેફાંસો લગાવીને આપઘાત કરી લીધો છે. જો કે, બહેનના આપઘાત પહેલા પોતાના સગાભાઈ સાથે કરેલી વાતનો ઓડિયો વાઈરલ થયો છે. કોઈપણ વ્યક્તિ આ ઓડિયો સાંભળીને આંખમાં આસૂ આવી જશે. તો પરિણીતાના બંને બાળકો પણ માતા વગરના બની ગયા છે. પરિણીતાના પરિવારજનોએ તેમના પતિ પર પણ આક્ષેપ કર્યા છે.
પરિણીતાએ તેના ભાઈ સાથે છેલ્લે વાત કર્યાનો ઓડિયો વાયરલ થયો છે. ભાઈ સાથે ફોન પર અંતિમ વાત કરી બહેને આક્રંદ કર્યો હતો. બહેને ઓડિયોમાં ભાઇને સાસરિયામાં ન આવવા આજીજી કરી હતી. પરંતુ ભાઇએ સાત્વના આપી મામલો ઠારવા ફોન પર બહેનને સાંત્વના આપી હતી.
એક બહેનના આપઘાત પાછળ સાસરીયાઓનો ત્રાસ
ભાઈ-બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની પહેલા જ આણંદના થામણા ગામે સાસરામાં રહેતી એક પરિણીતાએ આપઘાત કરી લીધો છે. જે કે, બહેને આપઘાત પહેલા પોતાના ભાઈને પોતાની મુશ્કેલી સંભળાવી હતી. પરિણીતાના ભાઈએ કહ્યું કે, મારી બહેન 10 વર્ષથી લગ્નજીવનમાં ત્રાસ સહન કરી રહી છે. તેમને દહેજના ત્રાસથી માર મારવામાં આવતો હતો. તો ભાઈએ આપઘાતની વાત પર પણ શંકા ઉપજાવતા કહ્યું કે, તેમના મોતનું કારણ વધુ પડતો માર છે.અથવા તેમની હત્યા કરાઈ છે. આ બાબતે કોઈ ખુલાસો અમારી પાસે નથી. જેનો ઓડિયો પણ સામે આવ્યો છે. પોલીસ સારરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.