સુરેન્દ્રનગરમાં એક ખાનગી ટ્યુશન ક્લાસિસના શિક્ષક અને વિદ્યાર્થિનીના આપઘાતથી ચક્ચારી, પોલીસને મળેલી સ્યૂસાઈડ નોટમાં બંને લોકોએ પરિવારની માફી માગી
સુરેન્દ્રનગરમાં એક શિક્ષક અને વિદ્યાર્થિનીનો આપઘાત
ખાનગી ટ્યુશન ક્લાસિસના શિક્ષક સાથે વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
સ્યૂસાઈડ નોટમાં બંને લોકોએ પરિવારની માફી માગી
ગુજરાતમાં આપઘાતની ઘટનામાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. પરંતુ એક શિક્ષક અને વિદ્યાર્થિના એકસાથે આપઘાત જેવી ઘટના ક્યારેક જ સામે આવતી હોય છે. ટ્યુશન ક્લાસમાં જ શિક્ષક અને વિદ્યાર્થિનીએ જીવનને ટૂંકાવી દીધું છે. બંને લોકોએ ગળેફાંસો લગાવીને આપઘાત કરી લેતા પંથકમાં ચકચારી મચી છે. લોકોમાં પણ એક પછી એક ચર્ચાનો વિષય બન્યો છે. આપઘાત સાથે એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં બંને લોકોએ પરિવારની માફી માગી છે.
સુરેન્દ્રનગરના જોરાવર નગરમાં શિવધારા ખાનગી ટ્યુશન ક્લાસિસમાંથી દિનેશભાઈ અને આ જ ટ્યુશન ક્લાસિસની વિદ્યાર્થિની ગળેફાંસો લટકાવેલી હાલતામાં મળી આવ્યા હતા. જે બાદ તુરંત પોલીસને જાણ કરતા દોડી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહોને ઉતાર્યા અને હોસ્પિટલને જાણ કરી હતી. જો કે, સ્યૂસાઈડ નોટ પણ પોલીસને મળી હતી. જેમાં લખ્યું હતું કે, આ જન્મમાં એક ન થઈ શકવાના કારણે આત્મહત્યા કરી રહ્યા છીએ