સુરતના કડોદરા વિસ્તારમાં આવેલા ગ્રીન સિટી ખાતે યુનિક એપાર્ટમેન્ટમાં રહેતા એક ગર્ભવતિ મહિલાના આપઘાત અને તેના અઢી વર્ષના બાળકનો મૃદેહ બંધ ઘરમાંથી મળ્યો
ગર્ભવતી મહિલાનો આપઘાત
સુરતના કડોદરાની ઘટના
અઢી વર્ષના બાળકનો પણ મળ્યો મૃતદેહ
સુરતમાં એક ગર્ભવતી મહિલાએ ચોથા માળેથી છલાંગ લગાવી આપઘાત કર્યો છે. આપઘાતની સાથે અઢી વર્ષના બાળકનો મૃતદેહ પણ મળ્યો છે. સમગ્ર ઘટના કડોદરા વિસ્તારમાં આવેલા ગ્રીન સિટીની છે. જ્યાં યુનિક એપાર્ટમેન્ટમાં રહેતા એક મહિલાના આપઘાત અને તેના અઢી વર્ષના બાળકનો મૃદેહને લઈ ગમગીન વાતાવરણ ફેલાયું છે.
આપઘાત બાદ પોલીસ સ્થાનિકોની પૂછપરછ કરી હતી. જેમાં મૃતક મહિલાનું નામ વનિતા પાંડે હોવાનું સામે આવ્યું છે. તો અઢી વર્ષના મૃતક બાળકનું નામ ક્રિષ્ના હતું. પ્રાથમિક માહિતી સામે આવી છે કે, પહેલા પોતાના બાળકની હત્યા બાદ સગર્ભા માતાએ ચોથા માળેથી ઝંપલાવી દીધું હતું. તો બીજી તરફ બાળકનો મૃતદેહ બંધ ઘરમાંથી મળ્યો હોવાની વાત પણ સામે આવી છે. તો સમગ્ર ઘટનામાં નણંદ પર પણ આક્ષેપ લાગ્યા છે. જો કે, તે અંગે સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
સમગ્ર પરિવાર ઉત્તર પ્રદેશનો રહેવાસી રહ્યો છે. મૃતકના પતિનું નામ મહેશ પાંડે અને દિયરનું નામ રાજેશ પાંડે છે. પોતાના ભાભીના આપઘાત પર દિયરે કહ્યું કે, ભાઈ-ભાભીના ખોળે બે સંતાનો હતા. જેમાં એક પુત્રનું નામ આર્યન છે. અને નાના પુત્રનું નામ ક્રિષ્ના હતું. જેનું મૃત્યુ થયું છે. અને છેલ્લા 10 વર્ષથી ઉત્તરપ્રદેશનો આ પરિવાર ગુજરાતમાં વસવાટ કરે છે.