મોહન ડેલકરના મૃતદેહ સાથે એક સૂસાઈડ નોટ પણ મળી છે. સાંસદ મોહન ડેલકરના વિશ્વાસુ માણસ અને મીડિયા ઈન્ચાર્જ દ્વારા સૌથી મોટો આરોપ કરાયો છે.
સાંસદ મોહન ડેલકરના વિશ્વાસું માણસ દીપક પટેલે કર્યા આક્ષેપ
પ્રશાસનિક તાનાશાહીને કારણે સાંસદ ડેલકરે આપઘાત કર્યો
છેલ્લા કેટલાયે સમયથી ડેલકર પ્રશાસનિક તનાશાહીથી દુ:ખી હતા
દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈની એક હોટલમાંથી મળી આવ્યો છે. અને તેમના મૃતદેહ સાથે એક સૂસાઈડ નોટ પણ મળી આવી છે. ત્યારે સાંસદ મોહન ડેલકરના વિશ્વાસુ માણસ અને મીડિયા ઈન્ચાર્જ દ્વારા સૌથી મોટો આરોપ કરાયો છે. પ્રશાસનિક તાનાશાહીને કારણે સાંસદ ડેલકરે આપઘાત કર્યો હોવાની વાત દીપક પટેલ કરી છે. છેલ્લા કેટલાય સમયથી ડેલકર પ્રશાસનિક તનાશાહીથી દુ:ખી હતા.
પરિવાર મુંબઈ જવા નિકળ્યો
મુંબઈ પોલીસના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે ડેલકરે પંખા સાથે લટકીને આપઘાત કર્યો હતો. ડેલકરના મૃતદેહ સાથે સુસાઇડ નોટ પણ મળી આવી છે. ડેલકર ગત રાતે હોટલમાં આવ્યાં હતા. તેમનો ડ્રાઈવર પણ બાજુની રૂમમાં ઉતર્યો હતો. ડ્રાઈવરે બપોરના 2.00ની આસપાસ ડેલકરની રુમ ખોલવાનો ઘણો પ્રયા કર્યો હતો પરંતુ કંઈ જવાબ ન મળતાં તેમણે હોટલના એક કર્મચારીને જાણ કરી હતી. ત્યાર બાદ ડ્રાઈવર અને હોટલ કર્મચારી બીજી બાજુએથી રુમમાં દાખલ થયા હતા અને તેમણે પંખા સાથે લટકતી ડેલકરની લાશ જોઈ હતી. ત્યાર બાદ આઘાતમાં આવેલા હોટલના સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. દાદરાનગર હવેલીના 7 વખતથી સાંસદ મોહન ડેલકરના આપઘાત બાદ તેમનો પરિવાર મુંબઈ જવા નિકળ્યા છે.
છોટુભાઈ વસાવાએ તપાસની કરી માગણી
સાંસદ મોહન ડેલકરના મૃત્યુના મામલે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ તપાસની માગ કરી છે. છોટુભાઈએ કહ્યું કે, કેન્દ્ર સરકાર આ મામલે સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. આદિવાસી યોદ્ધા આ રીતનું પગલું ભરે એ અશક્ય હોવાની વાત છોટુ વસાવાએ કરી છે. માનવામાં ન આવે તેવી ઘટના બની છે.
મોહન ડેલકરની રાજકીય સફર
1989માં દાદરા નગર હવેલીથી અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા
1991 અને 1996માં કોંગ્રેસમાંથી સાંસદ તરીકે ચૂંટાયા
1998માં ભાજપમાંથી દાદરા નગર હવેલીના સાંસદ બન્યા
1999 અને 2004માં અપક્ષ તરીકે ચૂંટાઈને લોકસભા પહોંચ્યા
2009માં મોહન ડેલકર ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા
2019માં અપક્ષમાંથી ફરી સાંસદ તરીકે ચૂંટાયા
મોહન ડેલકર ભાજપ-કોંગ્રેસમાંથી ચૂંટાઈને સાંસદ બન્યા છે