ગાંધીનગર જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ સહન ન થતા એક યુવાનને મોતને વહાલું કરવું પડ્યુ હતુ. કોલવડાના યુવાને વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે એટલું જ નહીં પરંતુ મરતા પહેલા સ્યુસાઈટ નોટ લખીને પોતાના મોત માટે જવાબદાર તમામના નામ લખીને મોત વહાલું કર્યુ છે.
ગાંધીનગર જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ
કોલવડાના યુવાને વ્યાજખોરના ત્રાસથી કરી આત્મહત્યા
ઘરમાં ગળેફાંસો ખાઈને યુવાને આત્મહત્યા કરી
ગાંધીનગર જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ સહન ન થતા એક યુવાનને મોતને વહાલું કરવું પડ્યુ હતુ. કોલવડાના યુવાને વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે એટલું જ નહીં પરંતુ મરતા પહેલા સ્યુસાઈટ નોટ લખીને પોતાના મોત માટે જવાબદાર તમામના નામ લખીને મોત વહાલું કર્યુ છે.
બુધવારે કોલવાડામાં વીસ ઘરવાસ ખાતે રહેતાં 44 વર્ષીય રાજેન્દ્રસિંહ રજુજી વાઘેલાએ આપઘાત કર્યો હતો. ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતુ. મૃતક યુવાન દર મહિને રૂપિયા 1.61 લાખ વ્યાજ ચુકાવતો હતો. મૃતક પાસેથી પોલીસને સુસાઇડ નોટ મળી આવી હતી એટલું જ નહીં પરંતુ તેમાં જેમની પાસેથી પૈસા લીધા છે તેમના અને જેમને પૈસા ચુકવ્યા છે તે તમામના નામ લખ્યા હતા.
સુસાઇડ નોટમાં 8 વ્યાજખોરોના નામનો ઉલ્લેખ
રણજીતસિંહ વાઘેલા
પ્રતાપસિંહ વાઘેલા
સંજય પ્રજાપતિ
કનું વિહોલ
ધનજી ઠાકોરના
જયકુમાર શાહ
સાગર સુથાર
રોનક કોઠારી
સળગતા સવાલ
વ્યાજખોરોએ કેવી રીતે લીધો ભોગ?
વ્યાજખોરો પર ક્યારે લાગશે લગામ?
પોલીસ આવા શખ્સો સામે કેમ કડક કાર્યવાહી નથી કરતી?
આટલા મામલા સામે આવે છે છતા પોલીસ કેમ નિષ્ક્રિય છે?
લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહેલા વ્યાજખોરો સામે કાર્યવાહી ક્યારે?