દિલ્હીના વસંત વિહાર વિસ્તારના વસંત એપાર્ટમેન્ટમાં શનિવારે રાત્રે એક મહિલા અને તેની બે પુત્રીઓએ આત્મહત્યા કરી લીધી. ત્રણેય પલંગ પર બેભાન અવસ્થામાં મળી. રૂમમાં ત્રણ મીણબત્તીઓ સળગી રહી હતી અને નજીકમાં એક ગેસ સિલિન્ડર ખુલ્લો હતો.
દિલ્હીમાં મહિલા અને તેની બે પુત્રીઓએ કરી આત્મહત્યા
મહિલાના પતિના મૃત્યુ બાદ મહિલાની તબિયત રહેતી હતી ખરાબ
મહિલાની બે પુત્રીઓ પણ ડિપ્રેશનથી પીડાતી હતી
મહિલા અને તેની બે પુત્રીઓનું થયુ મોત
આશંકા છે કે તેમનો ઈરાદો રૂમને આગ લગાડવાનો હતો. પરંતુ આશંકા છે કે તેની પહેલા ગુંગળામણના કારણે તેનુ મોત થયુ હતુ. ઘટનાસ્થળેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી છે, જેમાં મોતના કારણનો ખુલાસો કરવામાં આવ્યો છે. જો કે, પોલીસ અત્યારે તેનો ખુલાસો કરી શકવામાં અસમર્થ રહી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગયા વર્ષે કોરોના મહામારી દરમ્યાન મહિલાના પતિનુ મોત થયુ હતુ. ત્યારબાદ મહિલાની તબિયત ખૂબ ખરાબ રહી હતી. મહિલા મોટાભાગે પલંગ પર રહેતી હતી. જેના કારણે તેની સાથે-સાથે તેની બે પુત્રીઓ પણ ડિપ્રેશનમાં રહેતી હતી. મૃતકોની ઓળખ મંજૂ અને તેની બે પુત્રીઓ અંશિકા અને અંકુના રૂપમાં થઇ છે.
પોલીસ અધિકારીઓને મળી હતી સુચના
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે રાત્રે 8.55 વાગ્યે સુચના મળી કે વસંત એપાર્ટમેન્ટના હાઉસ નંબર 207માં રહેતા લોકો દરવાજા ખોલતા નથી. સુચના મળતા જ સ્ટેશન પ્રભારી સહિત અન્ય પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસકર્મીઓએ જોયુ કે દરવાજા અને બારી ચોતરફથી બંધ છે.