સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસથી પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો છે. રતનપર ખાતે પરિવારના 3 સભ્યોએ આપઘાતના પ્રયાસ કર્યો છે. 3 વ્યાજખોરના ત્રાસથી પતિ-પત્ની અને પુત્રીએ આપધાતનો પ્રયાસ કર્યો છે. વ્યાજખોરો પાસેથી રૂ.6.35 લાખ વ્યાજ પર લીધા હતાં.
ઉલ્લેખનીય છે કે, આ શખ્સો વ્યાજ અને મૂળ રકમ આપ્યા બાદ પણ ઉઘરાણી કરતા હતાં. આ શખ્સોએ રૂપિયા 15 લાખની માગણી કરતા પરિવારે આ પગલુ ભર્યું છે. જોરાવરનગર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી છે.
26-6 : (મોરબીમાં પિતા-પુત્રોએ પીધી દવા)
મોરબીમાં વ્યાજખોરોના આંતકનો વધુ એક પરિવાર ભોગ બન્યો છે. આ વ્યાજખોરોના આતંકથી પિતા અને બે પુત્રએ દવા પીધી છે. ઝેરી દવા પિતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વ્યાજખોરોની 6 લાખની પઠાણી ઉઘરાણીથી કંટાળીને આ પરિવારે દવા પીધી લીધી છે. પોલીસ હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
26-6 : (બનાસકાંઠાના આધેડે ઝેરી દવા પીધી)
રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેના કારણે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. તો બનાસકાંઠાના કુવાણા ગામમાં વ્યાજખોરના ત્રાસના કારણે આધેડે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. મળતી વિગતો મુજબ વ્યાજખોરો આધેડને અવાર નવાર મારી નાખવાની ધમકી આપતા હતા. જેથી આધેડે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. તો આધેડને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
23-6 : ( સુરેન્દ્રનગરના યુવા ઉદ્યોગકારે ખાધો ગળે ફાંસો)
સુરેન્દ્રનગર જિલ્લામાં દિનપ્રતિદિન વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે ફરી શહેરના એક યુવા ઉદ્યોગકારએ વ્યાજખોરોનો માનસિક ત્રાસથી કંટાળી ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામે પરિવાર સાથે રહેતા અને વઢવાણ જીઆઈડીસીમાં ગજાનંદ ઇન્ડસ્ટ્રીઝ નામે ફેબ્રીકેશન અને હાઇડ્રોલીક પ્રેસની મશીનરીનું કારખાનું ધરાવતા દશરથભાઇ ગોવિંદભાઇ પીઠવાએ આત્મહત્યા કરી છે.
પોતાના ધંધામાં ખોટ જતા અલગ-અલગ 21 જેટલા લોકો પાસેથી દોઢ લાખથી લઇ 20 લાખ સુધી મળી ફૂલ અંદાજે રૂપિયા 1.5 કરોડ વ્યાજે લીધા હતાં. ત્યારે અવારનવાર વ્યાજખોરો દ્વારા આપેલ રકમ અને વ્યાજની કડક ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતા હતાં.
જેનાથી કંટાળી દશરથભાઈએ વહેલી સવારે પોતાના ઘેર છત સાથે દોરડું બાંધી ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરતા મૌત નીપજ્યું હતું. મૃતક પાસેથી ચાર પાનાની સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. લોકો પોતાની આવક કરતા વધુ મોજ શોખ અને દેખાદેખી કરવામાં તેમજ હાઈફાઈ જીવન જીવવા માટે પણ ઊંચા વ્યાજે મોટી રકમ લેતા હોવાથી પણ વ્યાજનું દુષણ વધ્યું છે.
24-6 : (મહેસાણાના યુવાને મોતને કર્યું વ્હાલું)
મહેસાણામાં પણ 24 જૂને અમિત લીંબાચીયાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. યુવકને છેલ્લા એક વર્ષથી વ્યાજખોરો સતત ટોર્ચર કરી રહ્યા હતા. ત્યારે પોલીસને પણ એક વર્ષ અગાઉ વ્યાજખોરો દ્વારા હેરાનગતિની અરજી આપી હતી છતા પણ પોલીસે વ્યાજખોરો સામે કોઇ પગલા ભર્યા નથી.