PM મોદીએ શુક્રવારે નાગરિકોને 15 ઓગસ્ટના દિવસે પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણ માટે સામાન્ય નાગરિકો પાસેથી આવેલા વિચાર લાલ કિલ્લા પરથી સમગ્ર દેશમાં ગૂંજશે તેવી ટ્વિટ કરી છે.
સામન્ય નાગરિકો પણ પોતાના વિચારો PMને કહી શકે
નાગરિકો પાસેથી આવેલા વિચાર લાલ કિલ્લા પરથી સમગ્ર દેશમાં ગૂંજશે
વધુમાં વધુ લોકો રાષ્ટ્રગાન માટે જોડાય તેવી અપીલ કરી
સામન્ય નાગરિકો પણ પોતાના વિચારો PMને કહી શકે
PM મોદીએ શુક્રવારે નાગરિકોને 15 ઓગસ્ટના દિવસે પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણ માટે સામાન્ય નાગરિકો પાસેથી આવેલા વિચાર લાલ કિલ્લા પરથી સમગ્ર દેશમાં ગૂંજશે તેવી ટ્વિટ કરી છે. એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ દેશના નાગરિકોને કહ્યું કે નાગરિકો MyGov પર પોતાના આઇડિયા આપી શકે છે. સૂત્રોની જાણકારી મુજબ પ્રધાનમંત્રી સ્વતંત્રતા દિવસ પર પોતાના ભાષણ દ્વારા સરકારના કાર્યક્રમો અને નીતિઓ નાગરિકોની સામે રાખશે.
Your thoughts will reverberate from the ramparts of the Red Fort.
નાગરિકો પાસેથી આવેલા વિચાર લાલ કિલ્લા પરથી સમગ્ર દેશમાં ગૂંજશે
પ્રધાનમંત્રી લગભગ છેલ્લા ઘણા વર્ષોથી નાગરિકો પાસેથી પોતાના મંતવ્યો માંગતા રહે છે. આ વર્ષે પણ પ્રધાનમંત્રી નાગરિકો પાસે નવા આઇડિયા માટે પોતાના વિચાર રજૂ કરવા માટે અપીલ કરી રહ્યા છે. એટલે કે જો તમારી પાસે કોઈ સારા મંતવ્યો, સારા વિચાર અને તમારા વિઝનને PM સુધી પહોંચાડવા માટેનો આ સરસ અવસર છે. જેના દ્વારા 15 ઓગસ્ટ તેઓ પોતાના ભાષણમાં તમારા વિચારોને પણ પ્રસ્તુત કરશે.
વધુમાં વધુ લોકો રાષ્ટ્રગાન માટે જોડાય તેવી અપીલ કરી
આ સાથે જ તેમણે છેલ્લા મન કી બાતના કાર્યક્રમમાં નાગરિકોને અપીલ કરતાં કહ્યું હતું કે વધુમાં વધુ લોકો ભેગા મળીને રાષ્ટ્રગીતનું ગાન કરે. આ માટે તેમણે એક વેબસાઇટ પણ બનાવી છે જેની નામ rashtragaan.in. છે. તમે આ વેબસાઇટ પર પોતાનું ગીત રેકોર્ડ કરીને અપલોડ પણ કરી શકો છો. તેમણે કહ્યું હતું કે મને આશા છે કે વધુમાં વધુ લોકો આ પ્રક્રિયામાં જોડાશે.