કોરોના વાયરસની મહામારીથી નિપટવા માટે ટેક્સ અધિકારીઓએ એક નવું સુચન આપવાના સમાચાર વહેતા થયા હતાં. જેમાં કહેવામાં આવ્યું હતું કે એક કરોડથી વધુ આવક ધરાવતા ધનિકો પાસેથી વધુ ટેક્સ વસૂલવામાં આવે. જો કે સરકારે આવા સૂચનને બેજવાબદાર ગણાવ્યા હતાં અને CBDTએ સ્પષ્ટતા કરી હતી કે આવો રિપોર્ટ કોઈને તૈયાર કરવા કહેવામાં આવ્યું ન હતું.
અપડેટ : જો સરકારે આ સૂચનોને ગેરજવાબદાર ઠેરવીને રદ્દ કર્યા છે. 'નાણાંકીય વિકલ્પ અને કોરોના મહામારીને પહોંચી વળવાની રણનીતિ' નામથી તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં અધિકારીઓએ સૂચનો આપ્યા હતાં. હવે આ અધિકારીઓની સામે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) તપાસ શરૂ કરી છે.
સરકારે આ સૂચનોને ખોટાં જણાવ્યાં હતાં. એટલું જ નહીં IRS એસોસિએશન તરફથી પોતાના ટ્વિટર હેન્ડર અને વેબસાઈટ પર સરકારને મોકલાયેલા પત્રને શેર કરવા પર પણ વિરોધ જતાવ્યો હતો. તેને ખોટો કરાર આપતા સરકારે અધિકારીઓ પાસે સ્પષ્ટતા માંગી છે. નાણામંત્રાલયે કહ્યું કે આ કેટલાંક અધિકારીઓનું બેજવાદારીભર્યુ વર્તન છે. CBDTએ કહ્યું હતું કે તેમના તરફથી કોઈ પણ રિપોર્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું ન હતું. આવકવેરા વિભાગે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
The paper FORCE by 50 young IRS officers suggesting policy measures had been forwarded by IRSA to CBDT for consideration. It does not purport to represent the official views of the entire IRS, or the IT Dept.
અગાઉના જે રિપોર્ટના સમાચાર વહેતા થયા હતાં તેમાં જણાવામાં આવ્યું છે કે ટેક્સ રાહત માત્ર પ્રમાણિક રીતે પાલન કરનારા ટેક્સદાતાઓને આપવામાં આવે. ખાસ કરીને એવા કરદાતાઓ જે સમયસર રિટર્ન દાખલ કરે છે. દસ્તાવેજમાં જણાવામાં આવ્યું છે કે રિટર્ન દાખલ નહીં કરનાર, ટીડીએસ નહીં ભરનાર અથવા તેને રોકી રાખનાર, ખોટું નુકસાનનો દાવો કરી ટેક્સમાં કટોતી કરનારાઓના ઘણા મામલાઓ સામે આવ્યાં છે.
સરકારને સોંપવામાં આવેલા દસ્તાવેજમાં કોરોના સંકટના નિવારણ માટે જરૂરિયાતને પુરી કરવા માટે વસ્તુઓની ખરીદી માટે કેટલાક સુચનો આપવામાં આવ્યાં છે. જેમાં એક સુચન સુપર-રિચ ટેક્સનો છે. જેમાં જણાવામાં આવ્યું છે કે એક કરોડ રૂપિયાથી વધારે ઇન્કમ (કમાનાર) વ્યક્તિઓ પર 30 ટકાથી વધારી 40 ટકા ટેક્સ લગાવવો જોઇએ. આ સિવાય 5 કરોડથી વધારે વાર્ષિક આવક ધરાવતા લોકો પર સંપત્તિ કર અથવા વેલ્થ ટેક્સ લગાવો જોઇએ.
આ સર્ક્યુલરમાં જણાવામાં આવ્યું હતું કે બજેટમાં સુપર-રિચ પર જો ટેક્સ-સરચાર્જ લગાવામાં આ્યો છે તેનાથી સરકારને માત્ર 2,700 કરોડ રૂપિયા મળવાની આશા છે. જેમાં સુપર-રિચ માટેના સ્લેબમાં વધારો કરવાનું સુચન આપવામાં આવ્યું છે. એક કરોડ રૂપિયાથી વધુની કરપાત્ર આવક ધરાવતા કરદાતાઓ અતિ-ધનિકની શ્રેણીમાં આવે છે.