ખાંડના આ ઉપાયો કરવાથી જીવનની ઘણી મુશ્કેલીઓથી છુટકારો મળી જશે.
જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર કરે છે ખાંડ
આ ઉપાયો બનશે કારગર
જાણો તેના વિશે
રસોડામાં ખાંડના ઘણા ઉપયોગ કરવામાં આવે છે. ચામાં મિઠાસ આપવાની સાથે જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર કરવાનું કામ પણ ખાંડ કરે છે. જ્યોતિષ અનુસાર ખાંડનું કનેક્શન ગ્રહો સાથે છે. તે ઉપરાંત અમુક ખાસ અવસર પણ શુભતા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જાણીએ ખાંડના 5 ઉપાયો વિશે જે જીવનની ઘણી મુશ્કેલીઓથી છુટકારો આપાવી શકે છે.
સૂર્ય ગ્રહના કમજોર થવાથી નોકરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે એવામાં કુંડળીના સૂર્યને મજબૂત કરવા માટે એક તાંબાના વાસણમાં ખાંડ અને પાણીને મિક્ષ કરીને પીવાથી સૂર્ય મજબૂત થાય છે.
જો કોઈ જરૂરી કામ માટે ઘરથી દૂર જવાનું છે અને તમે ઈચ્છો છો કે કામ સફળ થાય તો એવામાં એક દિવસ પહેલા રાત્રે તાંબાના વાસણમાં ખાંડ અને પાણી મિક્ષ કરીને મુકી દો. કામ પર નિકળતા પહેલા તેનું સેવન કરો. માન્યતા છે કે આમ કરવાથી કામમાં સફળતા મળશે.
શનિની પીડાથી મુક્તિ મેળવવા માટે પણ ખાંડના ઉપાયો અસરકારક છે. તેના માટે ખાંડને પીસીને તેમાં નારિયેલના નાના નાના ટુકડા મિક્ષ કરો. ત્યાર બાદ તેને કીડીઓને આપી દો. આમ કરવાથી શનિની પીડાથી મુક્તિ મળે છે.
પિતૃદોષથી છુટકારો મેળવવા માટે ખાંડના ઉપાયો અસરકારક છે. માટે લોટમાં ખાંડ મિક્ષ કરીને કાગડાઓને ખવડાવો. ખાંડના આ ઉપાયથી પિતૃદોષથી શાંતિ મળે છે.
રાહુ દોષ દૂર કરવા માટે ખાંડના ઉપાય ખાસ છે. તેના માટે લાલ કપડામાં ખાંડ બાંધીને રાત્રે સુતી વખતે તેને તકીયાની નીચે મુકો. આવુ ઘણી દિવસો સુધી કરવું પડશે.